બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / શું સોનું ફરી સસ્તું થશે?, ભાવમાં 27,000 રૂપિયાનો થશે ઘટાડો! સૌથી મોટી કંપનીએ કર્યો દાવો
Last Updated: 11:43 AM, 27 April 2025
સોનાના ભાવમાં ઘટાડાનો દાવો વિશ્વની સૌથી મોટી સોનાનું ખનન કરતી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે મને અપેક્ષા છે કે 12 મહિનામાં કિંમત ઘટીને 2,500 ડોલર થઈ જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ હાલમાં 3,319 ડોલર પ્રતિ ઔંસ છે.
ADVERTISEMENT
આ વર્ષે 25% ઘટાડો થઈ શકે છે
ADVERTISEMENT
એક અંદાજ મુજબ સોનાના ભાવમાં લગભગ 25%નો ઘટાડો થઈ શકે છે. તેનો અર્થ એ કે ભારતીય બજારમાં સોનાનો ભાવ ઘટીને 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી શકે છે. તેઓ માને છે કે સોનાના ભાવમાં આ રેકોર્ડ વધારો વધુ પડતી પ્રતિક્રિયાને કારણે છે. વૈશ્વિક પરિસ્થિતિમાં સુધારો થતાં જ સોનાના ભાવમાં મોટો ઘટાડો થશે. જોકે તે પહેલાના સ્તર સુધી પહોંચશે નહીં.
મહિલાઓની ચિંતા વધી
સોનાના ભાવમાં થયેલા અભૂતપૂર્વ વધારાથી માત્ર બજારને જ આંચકો લાગ્યો નથી પરંતુ સામાન્ય લોકોના ખિસ્સા પર પણ તેની ઊંડી અસર પડી છે અને લગ્નની મોસમમાં મહિલાઓની ચિંતાઓ વધી ગઈ છે. અક્ષય તૃતીયા અને લગ્નની મોસમ દરમિયાન જ્યારે દરેક ભારતીય પરિવાર માટે સોનું ખરીદવું પ્રાથમિકતા હોય છે ત્યારે આ ભાવમાં અણધાર્યા વધારાથી મધ્યમ વર્ગના પરિવારોને આંચકો લાગ્યો છે. તહેવારો અને કૌટુંબિક કાર્યક્રમો દરમિયાન મહિલાઓ માટે ઘરેણાં ખરીદવાની પ્રાથમિકતા રહી છે. વધતી કિંમતો છતાં ઘણી સ્ત્રીઓ માને છે કે સોનાના દાગીના વિના પ્રસંગો અધૂરા લાગે છે.
વધુ વાંચો: લોનના હપ્તા ન ભરનારાઓની ખેર નહીં! સુપ્રીમ કોર્ટે ફોજદારી કાર્યવાહી કરવા આપી મંજૂરી
લોકો ભાવ પૂછીને પાછા ફરી રહ્યા છે
ભાવવધારાને લીધે જ્વલર્સ સૌથી વધુ પરેશાન છે તેઓ કહી રહ્યા છે કે "અમે દાયકાઓથી આ વ્યવસાયમાં છીએ, પરંતુ આ પહેલી વાર છે જ્યારે ગ્રાહકો ખુશ થવાને બદલે વધુ મૂંઝવણમાં દેખાઈ રહ્યા છે. પહેલા લોકો ઘરેણાંની ડિઝાઇન જોતા હતા. હવે તેઓ ફક્ત કિંમત પૂછીને પાછા જઈ રહ્યા છે. અમને ડર છે કે જો આ કિંમતો આવી જ રહેશે તો નાના દુકાનદારો માટે ટકી રહેવું મુશ્કેલ બનશે અને ધંધો ધીમો પડી જશે."
DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.