આ રકમ જમા વીમા અને લોન ગેરેન્ટી નિગમ ઉપલબ્ધ કરાવશે.
5 લાખ રૂપિયા સુધી જમા મળવાની ગેરેન્ટી
90 દિવસની અંદર મળશે રકમ
જાણો તેના વિશે વધુ માહિતી
સરકારે જમા વીમા અને લોન ગેરેન્ટી નિગમ કાયદાને સુચિત કર્યું છે. તેનાથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક જેવી બેન્કના ગ્રાહકોને 30 નવેમ્બરથી 5 લાખ રૂપિયા સુધી જમા મળવાની ગેરેન્ટી મળી જશે. સંસદે જમા વીમા અમે લોન ગેરેન્ટી નિગમ બિલ, 2021 આ મહિનાના શરૂઆતમાં પાસ કરી દીધુ હતું. તેના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે આરબીઆઈ દ્વારા કઈ રીતે બેન્કના કામકાજ પર રોક લગાવ્યા બાદ 90 દિવસની અંદર બેન્કને ખાતાધારકોના 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ મળી જશે. આ રકમ જમા વીમા અને લોન ગેરેન્ટી નિગમ ઉપલબ્ધ કરાવશે.
આ મહિનાની 27 તારીખે જાહેર કરવામાં આવેલી સુચના અનુસાર સરકાર કાયદાની જોગવાઈ અમલમાં આવવાની તારીખ એક સપ્ટેમ્બર, 2021 સુચના આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "જમા વીમા અને લોન ગેરેન્ટી નિગમ કાયદા, 2021ની કલમ 1ની ધારા (બે) બેઠળ આપેલી સત્તાનો ઉપયોગ કરતા કહ્યું કેન્દ્ર સરકાર કાયદાવની દરેક જોગવાઈને અમલમાં આવવાની તારીખ સપ્ટેમ્બર, 2021 નક્કી કરવામાં આવી છે." એટેલે કે તેના હિસાબથી જમાર્તાઓ માટે રકમ મેળવવાના 90 દિવસનો સમયગાળો 30 નવેમ્બર, 2021 છે.
આ કાયદા હેઠળ એ 23 સહકારી બેન્કોના ખાતાધારકો પણ આવશે. જે નાણાકીય દબાણમાં છે અને જેના પર રિઝર્વ બેન્કે અમુક પ્રતિબંધો લગાવી છે. ડીઆઈસીજીસી આરબીઆઈની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. આ બેન્ક ગ્રાહકોને વીમો ઉપલબ્ધ કરાવે છે. હાલમાં જમાકર્તાઓને નાણાકીય રીતે ફેરફાર વાળા બેન્કો પાસે પોતાની વીમા રકમ અને અન્ય દાવા પ્રાપ્ત કરવામાં 8થી 10 વર્ષ લાગી જાય છે.