ડિજિટલ અને કેશલેસ બુકિંગના સમયમાં આજે પણ લોકો ચેકથી ચૂકવણી કરે છે. જોકે ચેકથી થનારી લેવડ-દેવડની સંખ્યામાં નોટબંધી પછી ઘટાડો થયો છે. તેમ છતાં ઘણી કંપની અને વ્યકિગત ગ્રાહક ચેકથી ચૂકવણી કરવું યોગ્ય માને છે.
પરંતુ શું તમે જાણો છો કે ચેક પર કરવામાં આવેલી નાની ભૂલથી તમને મોટું નુકસાન થઇ શકે છે. આજે અમે તમને કહીશું કે કઈ બેંક ચેક બાઉન્સ થવા પર કેટલો દંડ લગાવે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) : ભારતીય સ્ટેટ બેંક ચેક બાઉન્સ થવા પર 500 રૂપિયા તેમજ જીએસટી વસુલે છે. જો કોઈ તકનીકી ખામીને લીધે ચેક રિટર્ન થયો હોય તો બેંક 150 રૂપિયા અને GSTનો ચાર્જ લે છે. જો આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ ગ્રાહકની ભૂલ ન હોય તો બેંક કોઈપણ ચાર્જ વસૂલ કરશે નહીં.
બેંક ઓફ બરોડા : બેંક ઑફ બરોડામાં 1 લાખ રૂપિયા સુધીના ચેક નાણાકીય કારણોસર રિટર્ન થવા પર 250 રૂપિયા 1 લાખથી 1 કરોડ સુધીના ચેક માટે 750 રૂપિયા ચાર્જ વસુલવામાં આવે છે. આ સાથે જ બિન-નાણાકીય કારણોસર ચેક રિટર્ન પર 250 રૂપિયાનો ચાર્જ છે.
ICICI બેંક :ICICI બેંકમાં આ ચાર્જ અલગ અલગ છે. સ્થાનિક વિસ્તાર અનુસાર ICICI બ્રાન્ચમાં છે કે મોકલવા પર મહિનામાં 1 ચેક રિટર્ન થવા પર રૂ. 350નો ચાર્જ ઓછા બેલેન્સને કારણે 1થી વધુ ચેક રિટર્ન થવા પર ચેક દીઠ 750 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે. હસ્તાક્ષર ચકાસણી સિવાયના અન્ય નાણાંકીય કારણોસર ચેક વળતર માટે ચાર્જ 50 રૂપિયા છે. અન્ય બેંકોને ચેક મોકલવાના આવે તો બેલેન્સ ઓછું હોવા પર ચેક રિટર્ન થાય તો ચેક દીઠ 100 રૂપિયાનો ચાર્જ અને આઉટ સ્ટેશનના કિસ્સામાં આ ચાર્જ 150 રૂપિયા અને અન્ય બેંકનો ચાર્જ વસુલવામાં આવે છે.
HDFC બેંક : HDFC બેંક પાસે ઓછા બેલેન્સને કારણે ચેક બાઉન્સ માટે 500 રૂપિયાનો દંડ છે. ફંડ ટ્રાન્સફરને લઈને ચેક રિટર્ન થવા પર 350 રૂપિયા ચાર્જ અને ટેકનિકલ કારણોસર ચેક રિટર્ન થાય તો 50 રૂપિયા ચાર્જ વસુલવામાં આવે છે.
2 વર્ષની થઇ શકે છે સજા:
ભારતના નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881માં સુધારા પછી કલમ 138 હેઠળ ચેક બાઉન્સ થવા પર 2 વર્ષની જેલ અથવા ચેકમાં ભરેલી રકમથી બમણો દંડ કે બંને ફટકારવામાં આવી શકે છે. આના હેઠળ જો અપૂરતી બેલેન્સને કારણે ચેક બાઉન્સ થાય તો કેસ ફાઇલ કરી શકાય છે. જોકે બિન-નાણાકીય કારણોસર કોઈ કેસ થતો નથી.