બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:08 AM, 20 April 2025
કાલે સોમવારે પણ તમામ બેંક બંધ રહેશે. 21 એપ્રિલના રોજ દેશના કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. એટલે કે ગ્રાહકો સોમવારે બેંકમાં જઈને પોતાનું કામ કરાવી શકશે નહીં. અહીં જાણો કે RBI એ કાલે રજા કેમ જાહેર કરી છે. સાથે જ કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
ADVERTISEMENT
21 એપ્રિલે કેમ બંધ રહેશે બેંક?
ત્રિપુરામાં લોકલ તહેવારના કારણે 21 એપ્રિલ સોમવારના રોજ બેંકો બંધ રહેશે. જોકે, ત્રિપુરા સિવાય તમામ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે. બેંક શાખાઓ બંધ હોવા છતાં નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI અને ATM સર્વિસ ચાલુ રહેશે. ગ્રાહકો ઓનલાઈન પૈસા મોકલી શકે છે, બીલ ચૂકવી શકે છે અને અન્ય ડિજિટલ બેંકિંગ કાર્યો કરી શકે છે.
ADVERTISEMENT
ગારિયા પૂજા
ગરિયા પૂજા એ ત્રિપુરા રાજ્યનો એક પરંપરાગત અને ફેમસ તહેવાર છે, જે ખાસ કરીને આદિવાસી સમુદાય દ્વારા ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પૂજા દર વર્ષે વૈશાખ મહિનામાં કરવામાં આવે છે અને તે દેવી ગરિયાને સમર્પિત છે, જેમને સમૃદ્ધિ, પાક અને ખુશીની દેવી માનવામાં આવે છે. પૂજામાં વાંસ, ફૂલો, ચિકન અને દારૂ જેવી વસ્તુઓ ચઢાવવામાં આવે છે.
વધુ વાંચો: ઘર ખરીદનારાઓ માટે ખુશખબર! SBI સહિત નવ બેંકોએ હોમ લોનના વ્યાજ ઘટાડ્યા, જુઓ લિસ્ટ
એપ્રિલ 2025 માં બેંકો ક્યારે બંધ રહેશે?
21 એપ્રિલ (સોમવાર) – ત્રિપુરામાં બેંકો બંધ રહેશે. આ દિવસે ગરિયા પૂજા, જે એક આદિવાસી તહેવાર છે, ઉજવવામાં આવશે.
29 એપ્રિલ (મંગળવાર) – હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે કારણ કે આ દિવસે ભગવાન પરશુરામ જયંતિ ઉજવવામાં આવશે.
30 એપ્રિલ (બુધવાર) – કર્ણાટકમાં બેંકો બંધ રહેશે કારણ કે આ દિવસે બસવ જયંતિ અને અક્ષય તૃતીયા ઉજવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.