દિલ્હીથી બિહારના મોતીહારી આવી રહેલી એક પ્રાઈવેટ બસ ફિરોઝાબાદના ભદાન ગામની પાસે પહોંચી ત્યારે અચાનક બેકાબૂ બની હતી. બેકાબૂ બસે સકડ પર ઊભી રહેલી ટ્રકને પાછળથી ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો ઘણો મોટો ભાગ તૂટી ચૂક્યો હતો. અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યા છે અને 31 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે પર અકસ્માત
બેકાબૂ બસ-ટ્રક વચ્ચે અકસ્માત
14 લોકોના મોત, 31 ઘાયલ
Firozabad: At least 14 feared dead & many injured after a bus collided with a truck on the Agra-Lucknow Expressway in Bhadan, yesterday late night. Sachindra Patel, SSP say,"there were at least 40-45 passengers in the bus. Injured have been shifted to Saifai Mini PGI." pic.twitter.com/HrmNSZGHAl
અકસ્માતની સૂચના મળતાં જ અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને મીની પીજીઆઈમાં એડમિટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર દિલ્હીથી મોતીહારી જઈ રહેલી પ્રાઈવેટ બસ બેકાબૂ બની હતી અને સાથે જ સડક પર ઊભેલી ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસનો ઘણો મોટો ભાગ તૂયી ગયો હતો.
Dr Vishwa Deepak, Medical Officer, Emergency Ward of Saifai Mini PGI: At least 31 injured patients have been admitted to the hospital and 13 were brought dead. https://t.co/EEO9CCGH2wpic.twitter.com/VU4Ly0gW4r
ઘટનાની તપાસ કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લાધિકારી અને એસપીને ઘટના સ્થળે ઝડપથી પહોંચવાના અને સાથે જ રાહત અને બચાવ કાર્યને શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. હાલમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી. ઈજાગ્રસ્તોના પરિવારજનોને જાણકારી મોકલવામાં આવી છે. જેસીબીની મદદથી બસને સડક પરથી હટાવવામાં આવી છે.