રાજ્યમાં બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં અમેરેલીના સમઢીયાળા નજીક મીની બસ સળગી ગઇ હતી. જેમાં 20 પેસેન્જરોનો આબાદ બચાવ થયો છે. જ્યારે આણંદ ઉમરેઠ ઓડ માર્ગ પર બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.
અમરેલીના સમઢીયાળા નજીક મીની બસ સળગી
બસમાં મુસાફરી કરતા 20 પેસેન્જરોનો આબાદ બચાવ
આણંદના ઉમરેઠ ઓડ માર્ગ પર બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
અમરેલીના સમઢીયાળા નજીક મીની બસ સળગી ગઇ છે. ઉનાથી રાજકોટ તરફ જતી બસમાં આગ લાગી હતી. આગના કારણે રોડ પર જ મીની બસ બળીને ખાખ થઇ ગઇ હતી. બસમાં મુસાફરી કરતા 20 પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આણંદના ઉમરેઠ ઓડ માર્ગ પર બે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
આણંદના ઉમરેઠ ઓડ માર્ગ પર બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં કાર અને બન્ને ટ્રકે પલટી માગી હતી. જેને કારણે કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત દરમિયાન કારને બચાવવા જતા બન્ને ટ્રકોએ પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટ્રકે પલટી મારતા ટ્રકોમાં ભરેલો સામાન રસ્તા પર ઢોળાયો હતો.