પેશાબ અથવા ટોયલેટ જતી વખતે ઘણાં લોકોને બળતરાની સમસ્યા થાય છે પરંતુ જો બળતરા વધુ થાય તો એ ચિંતાનો વિષય હોય શકે છે, કારણ કે તેનાથી કિડની પર ખરાબ અસર થઈ શકે છે. આ સમસ્યાને ડિસ્યૂરિયા (Dysuria) કહે છે. આમાં બળતરાની સાથે દુખાવો પણ થઈ શકે છે. જેથી આજે અમે આ સમસ્યા માટેનો અચૂક ઘરેલૂ ઉપાય જણાવીશું.
પેશાબ અથવા ટોયલેટમાં બળતરા થતી હોય તો ધ્યાન આપો
એલચીનો ઉપાય આ સમસ્યા કરશે દૂર
ઘરે જ કરો આ સસ્તો ઈલાજ
શું હોય છે ડિસ્યૂરિયાની સમસ્યા જ્યારે પેશાબ કરતી વખતે પેશાબમાં બળતરા અથવા દુખાવો થાય છે, ત્યારે તેને ક્લિનિકલ ભાષામાં ડિસ્યુરિયા કહેવામાં આવે છે. આ એક પ્રકારનું સંક્રમણ છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ ચેપ વધુ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા ઘણાં કારણોસર થઈ શકે છે, જેથી લક્ષણો પર ધ્યાન આપીને ડોક્ટર પાસે જવું જોઈએ અને ચેકઅપ કરાવવું જોઈએ. મોટાભાગે આ સમસ્યા પ્રાઈવેટ પાર્ટની સફાઈ ન રાખવાથી થાય છે, કારણ કે તેના કારણે સંક્રમણ થાય છે. ડાસ્યુરિયા પાણીના અભાવને કારણે પણ થઈ શકે છે, તેથી પુષ્કળ પાણી લેવાનું રાખો.
ડિસ્યુરિયા માટે લવિંગ તેલ છે બેસ્ટ
લવિંગ ઘણી રીતે શરીર માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ચેપને દૂર કરવામાં મદદ કરે છે. ધ્યાનમાં રાખો લવિંગની તાસીર ગરમ છે, જેથી તેનો વધુ ઉપયોગ નુકસાન કરી શકે છે. ડિસ્યુરિયાની સમસ્યા મટાડવા માટે ગરમ પાણીમાં લવિંગ તેલ મિક્સ કરીને તેનું સેવન કરો. આ ઉપાયને બે અઠવાડિયા સુધી અજમાવો. થોડાં જ દિવસમાં પેશાબ અને ટોયલેટમાં બળતરા અને દુખાવો દૂર થઈ જશે. લવિંગ વાળ ખરવાથી લઈ પેટની સમસ્યાઓ માટે બેસ્ટ છે.
એલચીનો ઉપાય
એલચીનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. પણ અનેક સમસ્યાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી મોઢાની દુર્ગંધ પણ દૂર થઈ શકે છે. એલચીમાં એવા ગુણો રહેલાં છે જે પેશાબ અને ટોયલેટમાં થતી બળતરા અને દુખાવો દૂર કરી શકે છે. તેમા ઉપચાર માટે રોજ 1 ગ્લાસ દૂધમાં અડધી ચમચી એલચીનો પાઉડર મિક્સ કરીને તેનું સેવન કરો. જો તમને એસિડિટીની સમસ્યા છે તો ઠંડા દૂધમાં એલચી પાઉડર મિક્સ કરીને પીવાથી તરત રાહત મળે છે. સાથે જ પેટને ઠંડક પણ પહોંચે છે.