સુરતમાં તાપી નદીમાંથી જળકુંભી કાઢવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું ત્યારે હવે આ અભિયાનમાં કૌભાંડ સામે આવ્યું છે. મનપા દ્વારા જળકુંભી અભિયાનમાં 3.19 લાખ રૂપિયા લીબુ પાણીની પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે.
આ અભિયાનમાં ભાજપના કાર્યકર્તાઓ પર લીંબુ પાણી પર 3.19 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. સંજીવ ઈઝહવા દ્વારા અભિયાનમાં થયેલા ખર્ચા પર RTI કરવામાં આવી હતી.ત્યારે હવે RTIમાં ખુલાસો થયો છે કે આ અભિયાનમાં 3.19 લાખ રૂપિયા લીંબુ પાણીની પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસરકાર દ્વારા સુજલામ-સુફલામ જળસંચય અભિયાન હાથ ધરવામાં આવેલ પરંતુ કેટલાક સ્થળો પર કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠવા પામી હતી. તાપી નદીમાં ઉપદ્રવ સમાન સતત વધી રહેલી જળકુંભીના નિકાલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી જળ શુદ્ધિ અભિયાન ચલાવ્યુ હતુ.
જો કે તેમાં કેટલાક ભાજપના કાર્યકરો ટોપી પહેરીને નાવમાં બેસીને જળકુંભી દુર કરવાનું અભિયાન ચલાવેલ. જો કે થાકેલા ભાજપના આ કાર્યકરોને લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું અને તે લીંબુ શરબત પાછળ ત્રણ લાખથી વધુનો અધધ ખર્ચ થયાનો ખુલાસો થતા મહાપાલિકાના આ વહિવટ પર અનેક સવાલો ઉઠ્યા હતા.