ગાંધીનગર: પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોએ રાજય સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો સરકાર સામે આંદોલન પર ઉતરશે.ગુજરાતના 7 હજારથી વધુ શિક્ષકો 23 જૂન સુધી કાળી પટ્ટી પહેરીને સ્કૂલોમાં શિક્ષણકાર્ય કરશે. પગાર વધારો અને ભથ્થા આપવાની શિક્ષકોની માગ છે. ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળની ફરિયાદ છે કે રાજય સરકારે ગત વર્ષે 2017માં જાન્યુઆરીમાં રાજયના તમામ ફિક્સ પગારના સહાયકોને પગાર વધારો આપવાનો ઠરાવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઠરાવ બાદ હજી સુધી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને પગાર મળ્યો નથી. સરકારે માધ્યમિકના શિક્ષક સહાયકોને 6 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયકોને 12 ઓછો પગાર વધારો આપ્યો છે. નાણામંત્રીએ તફાવતની રકમ આપી દેવાની જાહેરાત કર્યાને દસ મહિના થઈ જવા છતાં પગાર વધારો આપ્યો નથી.ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં હજુ 4 હજાર શિક્ષકોની ભરતી કરાઈ નથી.
આપને જણાવી દઇએ કે નિવૃતી આકસ્મિક મૃત્યુથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા તથા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવાની શિક્ષકોની માગ છે અને 24 જૂને શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રામધૂન યોજી સરકારનો વિરોધ કરશે. જિલ્લાના તમામ શિક્ષકોજોડાશે.આ કાર્યક્રમ શિક્ષણ સહાયકોને ન જોડાવવાનો આદેશ કરવા સરકારે તમામ DEOઓને પરિપત્ર જાહેર કર્યો છે. જેને લઈને શિક્ષક મંડળે ઉગ્ર વિરોધ કર્યો છે.