નર્મદા: મધ્યપ્રદેશમાં વરસાદે વિરામ લેતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો છે. પાણીની આવક માત્ર 1531 અને જાવક 10138 ક્યુસેક છે. નર્મદા ડેમમાં દર કલાકે 1 સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે.
હાલમાં ડેમની સપાટી 124.48 મીટર પર પહોંચી છે. 117.78 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. આજીડેમ ભરવા માટે કેનાલમાં વધુ પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઇએ કે મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને લઈને ઉપરવાસમાંથી 2.25 લાખ ક્યૂસેક પાણી આવ્યું હતું જેને લઈને 4.5 મીટર સપાટી વધી હાલ 409 ક્યુબીક મીટર સંગ્રહ થયો હતો. જો કે ત્યારબાદ પાણીનો વપરાશ થયો અને મધ્યપ્રદેશમાંથી આવતા પાણીની આવક બંધ થતાં ઘટાડો નોંધાયો હતો.
એક તરફ રાજ્યમાં વરસાદ મોડો પડવાને કારણે નર્મદા બંધ સહિત 204 જળાશયોમાં માત્ર 29.58 ટકા પાણી બચ્યું હતું.જેમાં નર્મદા બંધમાં 31.73 ટકા પાણીનો જથ્થો બચ્યો હતો.
ત્યારે આજરોજ મળેલ સમાચાર મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે સરદાર ડેમની સપાટીમાં વધારો થયો હતો પરંતુ ઉપરવાસમાંથી પાણી છોડવાનું બંધ કરાતા પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે.
અત્રે જણાવી દઇએ એ એક તરફ મધ્યપ્રદેશમાં વરસાદે વિરામ લેતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાયો હતો. ડેમમાં રહેલી પાણીની આવક માત્ર 1531 અને જાવક 10138 ક્યુસેક છે.
નર્મદા ડેમમાં દર કલાકે 1 સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો હોવાનું સ્થાનિક તંત્ર પાસેથી જાણવા મળેલ. હાલમાં ડેમની સપાટી 124.48 મીટર પર પહોંચી છે. 117.78 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. આજીડેમ ભરવા માટે કેનાલમાં વધુ પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે રાજ્યમાં ફરીવાર પાણી સંકટ મંડરાઇ રહ્યું હોવાનું પણ સ્પષ્ટ જણાઇ આવે છે. આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં પાણીની અછત સર્જાવાની શક્યાતામાં વધારો થઇ શકે છે. જો કે આ મામલે જોવું જ રહ્યું કે આગામી સમયમાં રાજ્યની વર્તમાન સરકાર દ્વારા કોઇપણ પ્રકારે પગલા લેવામાં આવે છે કે નહીં.