તમાલપત્ર એ મસાલામાં સામેલ છે જેની સુગંધ ભોજનનો સ્વાદ વધારી દે છે. તો જાણો રાતના સમયે ઘરમાં આ ખાસ પાનને બાળવાથી કયા ફાયદા થશે.
રોજ સૂતા પહેલા ઘરમાં સળગાવી લો તમાલપત્ર
ફાયદા એવા કે જાણીને થશો હેરાન
આજે જ કરી લો આ કામ
તમાલપત્રને ફક્ત ભારતની રસોઈમાં સ્વાદ વધારવા માટે ઓળખવામાં આવે છે. આ ઔષધિના અનેક આયુર્વેદિક ગુણો હોય છે. જેમ કે તમે ભાગ્યે જ જાણતા હશો કે ચિંતા દૂર કરવાની સાથે અન્ય અનેક રીતે ફાયદો કરનારા છે.
કઈ કઈ સમસ્યામાં કરે છે ફાયદો
રોજ રાતે સૂતા પહેલા ઘરમાં તમાલપત્રનો ધુમાડો કરી લો. તે ટેન્શન દૂર કરવાની સાથે શ્વાસ સંબંધી તકલીફ, સ્કીન સંબંધી તકલીફને દૂર કરે છે. તેના અનેક અન્ય ફાયદા પણ છે. તેનો ધુમાડો ઘરમાં અરોમાની જેમ કામ કરે છે.
શું ખાસ છે તમાલપત્રમાં
આ એક ખાસ જડીબુટ્ટી છે જેને રશિયાના એક વૈજ્ઞાનિકે સારી રીતે તપાસી છે અને જાણ્યું કે તે ચિંતાને દૂર કરી શકે છે. તેનો ઉપયોગ એરોમાથેરાપીને માટે પણ કરાય છે. આ સાથે સ્કીન સંબંધી તકલીફ અને શ્વાસની સમસ્યાને ક્યોર કરવામાં પણ તેનો ઉપયોગ કરાય છે.
આ રીતે કરો ઉપયોગ
એક તમાલપત્ર લો અને તેને એક વાટકીમાં રાખીને ઘરની બહાર લઈ સળગાવો. પછી તેને ઘરની અંદર લાવીને 15 મિનિટ રહેવા દો. તેની મહેક આખા ઘરમાં ફેલાઈ જશે. તમે રીલેક્સ અને રીફ્રેશિંગ અનુભવશો. આ પાન અનેક બીમારીઓમાં પણ ઉપયોગમાં લેવાય છે.
રૂમ ફ્રેશનરની જેમ કરશે કામ
રૂમમાં કે ઘરમાં સુગંધ કાયમ રાખવા માટે અનેક રૂમ ફ્રેશનર ઉપયોગમાં લેવાય છે. મોંઘા પરફ્યુમ પણ છંટાય છે પણ આ કામ તમાલપત્ર કરી શકે છે. તેનાથી આસપાસના બેક્ટેરિયા પણ મરી જાય છે.
થાક કરશે દૂર
તમાલપત્રને સળગાવવાથી વ્યક્તિનો થાક દૂર થાય છે. મગજ શાંત રહે છે અને મગજની નસોને આરામ મળે છે. એટલું નહીં તેનો ધુમાડો શ્વાસની મદદથી અંદર જાય છે તો ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.
મિર્ગીને કરે છે દૂર
તમાલપત્ર એન્ટીઈન્ફ્લેમેટરી હોય છે. મિર્ગીના દર્દીઓને માટે તેઓએ આ ધુમાડામાં રહેવું. કહેવાય છે કે મિર્ગીના રોગને જડથી ખતમ કરવામાં તે મદદ કરે છે.
સ્કીન માટે
સ્કીન માટે આ તેલમાં મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે. તમાલપત્રનું તેલ સ્કીન માટે જરૂરી છે. તેને લગાવવાથી સ્કીન મુલાયમ, સાફ અને કીટાણુમુક્ત બને છે.
કોક્રોચને ભગાડે છે
કોક્રોચને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરાય છે. જો તમે તેનાથી પરેશાન છો તો તમારે તમાલપત્રને સળગાવીને કિચન કે રૂમમાં રાખી દેવા. આ સિવાય તે કેમિકલ ફ્રી હોવાથી હેલ્થને ફાયદો જ કરે છે.