તમે દરેક લોકો જાણો છો કે ભારતીય રસોડામાં તમાલપત્ર હોય છે. આટલું જ નહીં તમાલપત્ર મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લાભ છે.
તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. પ્રાચીન કાળથી એનો ઉપયોગ લીવર, આંતરડા અને કિડનીની સારવારમાં થતો રહ્યો છે. ઘણી વખત એનો ઉપયોગ મધમાખી કરડે તો એ જગ્યા પર કરવામાં આવે છે. હાલ ઘણા લોકો ઓનો ઉપયોગ નાના મોટા રોગો માટે કરી રહ્યા છે.
શું તમે જાણો છો તમાલપત્રના બીજા ઘણા ફાયદા છે. જી હાં વાસ્તવમાં રશિયામાં થયેલા એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે તમાલપત્રનો પ્રયોગ તણાવ દૂર કરવામાં કરી શકાય છે. તમાલપત્ર એરોમેટિક હોય છે. જી હાં જે રીતે આપણે સ્પા વગેરેમાં રિલેક્સ થવા માટે અરોમાં થેરાપીનો ઉપયોગ કરીએ છીએ. તમાલપત્ર દ્વારા તમે એનો આનંદ અને ફાયદો તમારા ઘરના રૂમમાં ઊઠાવી શકો છો.
આ ઉપરાંત એવું પણ જણાવી દઇએ કે તમાલપત્રનો એક વાસણમાં નાંખો અને સળગાવી દો અને એવી રીતે જ રૂમમાં મૂકી દો, કારણ કે આવું કરવાથી આશરે 15 મીનિટ બાદ તમે રૂમ ખોલશો તો રૂમમાં એક રિલેક્સિંહ ખુશબુ ફેલાયેલી હશએ. આ ખૂબ જ સૂકુન ભરેલી હશે, થોડીક વાર રૂમમાં રિલેક્સ થઇને બેસીશું તો તમને સુકૂન મળશે.
આટલું જ નહીં એવું પણ જણાવી દઇએ કે તમાલપત્રનો પ્રયોગ ખાસકરીને દવાઓને બનાવવામાં પણ કરવામાં આવે છે, ખાસ કરીને ભારતીય દવાઓ. તમાલપત્ર ગરમ મસાલાનો એક મહત્વનો ભાગ છે. એનો પ્રયોગ હંમેશા આયુર્વેદમાં કરવામાં આવી રહ્યો છે. ઘણા પ્રકારની બિમારીઓમાં તમાલપત્ર ફાયદાકારક સાબિત થાય છે. તો બીજી બાજુ તમે તમાલપત્રનો પાઉડર દરરોજ સવારે પાણીની સાથે લેવાથી ડિયાબિટીસ દૂર થાય છે. દિવસમાં ત્રણ વખત લેવો જોઇએ.
તમાલપત્રનો ઉપયોગ મગજને તેજ કરવામાં પણ થાય છે. જી હાં જણાવી દઇએ કે એનાથી યાદશક્તિ વધે છે. કંઇ પણ યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. એને દરરોજ ખાવામાં ઉપયોગ કરવો જોઇએ. એને ખાનાર શખ્સને અલ્ઝાઇમર જેવી મગજથી જોડાયેલી બિમારીઓ થવાની શક્યના નહિવત થાય છે. ઘડપણમાં યાદશક્તિને લઇને સમસ્યા આવતી નથી. આ ઉપરાંત તમાલપત્ર મહિલાઓ માટે પણ ખૂબ ઉપયોગી છે.