આઈએએસ અધિકારીઓ ક્યારેય રુઆબ છાંટવા સામાન્ય લોકોને કનડતા હોય છે હોદ્દાને કારણે તેઓ હવામાં ઉડતા હોય છે અને પોતાને કારણે સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ ભૂલી જતા હોય છે. દિલ્હીના એક આઈએએસ કપલે પણ આવું જ કર્યું અને હવે સરકારે તેમની સામે મોટી કાર્યવાહી કરીને તેમને શાન ઠેકાણે લાવી દીધી છે. દિલ્હીમાં પોતાના શ્વાન માટે ત્યાગરાજ સ્ટેડિયમ ખાલી કરાવનાર IAS કપલના કૃત્યની ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરીને તેમને નોખા પાડી દીધા છે અને અલગ અલગ ઠેકાણે તહેનાત કરી દીધા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી સાંજે IAS સંજીવ ખિરવારની લદ્દાખમાં અને તેમની આઈએએસ પત્ની રિંકૂ દુગ્ગાની અરુણાચલ પ્રદેશ બદલી કરી નાખી છે.
Hours after a news report regarding the misuse of facilities at Thyagraj Stadium by Sanjeev Khirwar & his wife Rinku Dugga, MHA has transferred both the AGMUT cadre IAS officers Sanjeev Khirwar & Rinku Dugga to Ladakh and Arunachal Pradesh from Delhi respectively: MHA order pic.twitter.com/teMHyNPwhw
કેન્દ્રીય ગૃહ મંત્રાલય વતી જારી કરવામાં આવેલા આદેશમાં એવું કહેવામાં આવ્યું હતું કે સંજીવ ખિરવારને લદ્દાખમાં અને તેમની પત્ની રિંકૂ દુગ્ગાને અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બન્ને 1994ની કેડરના આઈએએસ અધિકારી છે.
આઈએએસ કપલે પોતાના શ્વાન માટે કરાવ્યું હતું સ્ટેડિયમ ખાલી
વાસ્તવમાં એક કોચે દાવો કર્યો હતો કે પહેલા તેઓ રાત્રે 8 કે 8.30 વાગ્યા સુધી ટ્રેનિંગ લેતા હતા. પરંતુ હવે તેમને સાંજે 7 વાગ્યે મેદાન ખાલી કરવાનું કહેવામાં આવે છે, જેથી આઈએએસ અધિકારી સંજીવ ખિરવાર તેમના શ્વાનને લઈને ફરી શકે. કોચે કહ્યું કે આનાથી તેની તાલીમ અને પ્રેક્ટિસ રૂટિનમાં સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે તેઓ સવારે 7 વાગ્યે રવાના થતાં સાંજે 7 વાગ્યા પછી કોઈ આઈએએસ સ્ટેડિયમમાં આવે છે તેની તેમને જાણ નથી. અહેવાલો અનુસાર, ખિરવાર મંગળવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સ્ટેડિયમમાં તેના શ્વાન સાથે જોવા મળ્યાં હતા. તેમનો શ્વાન રેસિંગ ટ્રેક, ટબોલના મેદાન પર ફરતો જોવા મળ્યો હતો, જેને સિક્યોરિટી ગાર્ડે પણ અટકાવ્યો નહતો.
શ્વાનને લઈને સ્ટેડિયમાં ફરવા ગયા હોવાના આરોપ સંજીવ ખિરવારે ફગાવ્યાં
ઉલ્લેખનીય છે કે 1994 બેચના આઈએએસ અધિકારી સંજીવ ખિરવારે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. તેણે કબૂલાત કરી હતી કે તે ક્યારેક કૂતરાને ત્યાં ફરવા લઈ જાય છે, પરંતુ તેણે એ વાતનો ઇનકાર કર્યો હતો કે તેનાથી રમતવીરોની પ્રેક્ટિસમાં અવરોધ ઊભો થાય છે.દિલ્હી સરકારના અંકુશ હેઠળના ત્યાગરાજા સ્ટેડિયમની સ્થાપના 2010માં કોમનવેલ્થ ગેમ્સ માટે કરવામાં આવી હતી. આજ તકએ સ્ટેડિયમના સંચાલક અજિત ચૌધરી સાથે પણ આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે સ્ટેડિયમનો સમય પહેલા સાંજે 4-6 વાગ્યાનો હતો. ત્યારે ગરમીને જોઇને 7 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.