બુંદેલખંડ એક્સપ્રેસવે પરના ઉદ્ઘાટનના 5 દિવસમાં ઠેર-ઠેર ખાડા પડી જતા અખિલેશના પ્રહાર પર નંદ ગોપાલ નંદીએ કહ્યું, 'અધૂરી જાણકારી પર આધાર રાખીને રાજકારણ ન કરો.'
ભારે વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો કેટલોક ભાગ ધરાશાયી
PM મોદીએ ઉદ્ઘાટન ક્રયાના પાંચમા દિવસે જ ધોવાઈ ગયો
અખિલેશના પ્રહાર ઉપર ઔદ્યોગિક મંત્રી નંદ ગોપાલ નંદીના પ્રહાર
બુધવારના રોજ રાત્રિના ભારે વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો કેટલોક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. જેનું ખુદ PM મોદીએ પાંચ દિવસ પહેલા ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે આ મુદ્દે UPના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
ये है भाजपा के आधे-अधूरे विकास की गुणवत्ता का नमूना… उधर बुंदेलखंड एक्सप्रेस-वे का बड़े लोगों ने उद्घाटन किया ही था कि इधर एक हफ़्ते में ही इस पर भ्रष्टाचार के बड़े-बड़े गड्ढे निकल आए।
અખિલેશ યાદવે કહ્યું કે, 'આ ભાજપના અધૂરા વિકાસની ગુણવત્તાનો નમુનો છે. બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન મોટા દિગ્ગજ લોકોએ કર્યું હતું. એક અઠવાડિયામાં તેની પર ભ્રષ્ટાચારના મસમોટા ખાડાઓ બહાર આવી ગયા છે. સારું થયું કે, આ એક્સપ્રેસ-વે પર રનવે નથી બન્યો. અખિલેશના આ નિવેદન પર ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે.'
@yadavakhilesh जी सुना है आप ऑस्ट्रेलिया से पढ़कर लौटे हैं! अलग बात है कि आप अपने को गूगल मैप का बड़ा जानकार बताते हैं! लेकिन प्रदेश के पूर्व मुख्यमंत्री की मर्यादा के अनुसार थोड़ा लिखकर फिर पढ़कर पोस्ट करना चाहिए! कम से कम बेसिक टेक्निकल नॉलेज तो आपको होनी ही चाहिए! https://t.co/5yVefT60bn
— Nand Gopal Gupta 'Nandi' (@NandiGuptaBJP) July 21, 2022
ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક મંત્રી નંદ ગોપાલ નંદીએ કહ્યું કે, 'અખિલેશજી સાંભળ્યું છે કે તમે ઓસ્ટ્રેલિયાથી અભ્યાસ કરીને પરત ફર્યા છો. એ અલગ વાત છે કે તમે તમારી જાતને ગૂગલ મેપના ખૂબ જાણકાર માનો છો, પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીની ગરિમા મુજબ તમારે થોડું વાંચીને પછી પોસ્ટ કરવી જોઈએ. તમારી પાસે ઓછામાં ઓછું મૂળભૂત ટેક્નિકલ નોલેજ હોવું આવશ્યક છે.'
मेरी आपको सलाह है कि अपने अल्पज्ञानी सलाहकारों के अधकचरे ज्ञान के भरोसे राजनीति न करें!
— Nand Gopal Gupta 'Nandi' (@NandiGuptaBJP) July 21, 2022
નંદ ગોપાલ નંદીએ કહ્યું કે, 'બુંદેલખંડ એક્સપ્રેસ-વેના નિર્માણ બાદ વિવિધ ટેકનિકલ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે. સપાટીની અસમાનતાને સીધી ધાર અને પ્રોફિલોમીટર વડે તપાસવા અને જ્યાં પણ અસમાનતા હોય ત્યાં તેને દૂર કરવા માટે ફરીવાર સરફેસ લેયરનું કામ કરવામાં આવી રહ્યું છે. મારી તમને સલાહ છે કે તમે તમારા ઓછા જાણકાર સલાહકારોની અધૂરી જાણકારી પર આધાર રાખીને રાજકારણ ન કરો.'
15 हजार करोड़ की लागत से बना एक्सप्रेसवे अगर बरसात के 5 दिन भी ना झेल सके तो उसकी गुणवत्ता पर गंभीर प्रश्न खड़े होते हैं।
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ એક્સપ્રેસ વેને લઇને પ્રહાર કર્યા
બીજી તરફ એક્સપ્રેસ વેનો કેટલોક ભાગ વરસાદમાં ધસી જવાના સમાચાર મળતા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ કેટલાંક સવાલો ઉઠાવ્યા છે. વરુણ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, '15 હજાર કરોડના ખર્ચે બનેલો બુંદેલખંડ એક્સપ્રેસ વે 5 દિવસનો વરસાદ પણ સહન કરી શકતો નથી તો તેની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થાય છે. આ પ્રોજેક્ટના વડા, સંબંધિત એન્જિનિયરો અને જવાબદાર કંપનીઓને તાત્કાલિક બોલાવવા પડશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'