કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે. .મહત્વનું છે કે, હવામાન વિભાગે આગામી તારીખ 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી કરી છે.
તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પવનની ગતિ 30 થી 40 પ્રતિ કલાકની રહેશે. તો રાજ્યમાં 3 દિવસ સુધી ઠંડકનો અહેસાસ થશે. આ ઉપરાંત વીજળીના ચમકારા સાથે 10મીએ રાજ્યના બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની પણ આગાહી કરી છે.
CM રૂપાણી છે કચ્છની મુલાકાતે
એક તરફ ઉનાળો આકળો થઈ રહ્યો છે. ત્યારે કચ્છમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. તો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છની એક દિવસની મુલાકાત લીધી હતી. જ્યા તેઓ નારાયણ સરોવરના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. અહીં દર્શન કરીને અછતગ્રસ્ત કચ્છમાં ઘાસચારા અને પાણીની સમીક્ષા કરી હતી.
આ દરમિયાન સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, દુષ્કાળનો હવે એકજ મહીનો બાકી છે. અછત જાન્યુઆરીમાં જાહેર થાય છે જ્યારે અમે સપ્ટેબરમાં અછત જાહેરાત કરી હતી. અમારુ ફોકસ કચ્છ પર હતું. સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે, સરકાર ડિસેલીનેશન માટે આગળ વધી રહી છે. જેમાં દરિયાનું ખારું પાણી મીઠું બનાવાશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2019
હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં આજથી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ 30 થી 40 કિલોમીટરની પ્રતિકલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે.