ભારતીય રેલવેમાં એપ્રેન્ટીસશિપ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મું પાસ કર્યું હોવું જોઈએ.
ભારતીય રેલવેમાં 3 હાજરથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરાઈ
વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરાઈ
કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં
ભારતીય રેલવેમાં 3 હાજરથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરાઈ
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતાં ઉમેદવારો માટે 3 હાજરથી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. ઉત્તર રેલવેના રેલવે ભરતી સેલે (RRC NR)કુલ 3093 એપ્રેન્ટિસ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતાં ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ rrcnr.org પર બહાર પાડવામાં આવેલી સૂચના ડાઉનલોડ કરી શકે છે. અને 20 ઓક્ટોબર સુધી સંપૂર્ણ વિગતો સાથે અરજી સબમિટ કરી શકે છે
કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં
અરજી માટે 100 રૂપિયાની ફી પણ જમા કરાવવાની રહેશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી ચાલી રહી છે અને 20 ઓક્ટોબર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે અને કોઇ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. એપ્રેન્ટીસશીપ દરમિયાન મળેલ સ્ટાઇપેન્ડ સહિતની અન્ય સુવિધાઓ ઉમેદવારો સૂચનામાંથી મેળવી શકે છે.
વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરાઈ
ઉમેદવારોએ rrcnr.org પર બહાર પાડવામાં આવેલી સૂચનામાં નિર્ઘારિત લાયકાતો વિશે વિગતવાર માહિતી ચકાસી શકે છે અને એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી 10 મી પાસ કરી હોવી જોઈએ. આ ઉપરાંત, સંબંધિત વેપારમાંથી ITI પ્રમાણપત્ર હોવું પણ ફરજિયાત છે. વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. તમે તમારી માહિતી સાથે અરજી કરી શકો છો.