યુપીમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરીંગથી હડકંપ મચી ગયો છે. AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે, તેમની ગાડી પર 3-4 રાઉન્ડ ફાયરીંગ થયું છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.
યુપીમાં ઓવૈસીની ગાડી પર ફાયરીંગ થયાનો કર્યો દાવો
પ્રચાર કરી પરત દિલ્હી આવી રહ્યા હતાં પાર્ટી અધ્યક્ષ
પોલીસે કહ્યું સીસીટીવી તપાસી પુષ્ટિ થશે કે ફાયરીંગ થયું છે કે નહીં
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, યુપીમાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરીંગથી હડકંપ મચી ગયો છે. આ ઘટના મેરઠના છિઝારસી ટોલ પ્લાઝા પાસે બની છે. આ ઘટનાને લઈને અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, મેરઠના કિઠૌરમાં એક ચૂંટણી કાર્યક્રમ પુરો કરીને દિલ્હી જઈ રહ્યા હતા.
I was leaving for Delhi after a poll event in Kithaur, Meerut (UP). 3-4 rounds of bullets were fired upon my vehicle by 2 people near Chhajarsi toll plaza; they were a total of 3-4 people. Tyres of my vehicle (in pic) punctured, I left on another vehicle: Asaduddin Owaisi to ANI pic.twitter.com/ksV6OWb57h
છિઝારસી ટોલ પ્લાઝા પાસે 2 લોકએ મારી ગાડી પર 3-4 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. તે કુલ 3-4 લોકો હતા. મારી ગાડીના ટાયરમાં પંચર થઈ ગયું છે. ત્યાર બાદ હું ત્યાંથી બીજી ગાડીમાં માંડ માંડ નિકળી શક્યો હતો.
તો વળી ઓવૈસીની કાર પર ફાયરીંગની ઘટનાને લઈને યુપી પોલીસ તપાસમાં લાગી ગઈ છે. એટલુ જ નહીં પોલીસના કેટલાય મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
તો વળી ઓવૈસીની ગાડી પર ગોળીઓ છૂટવા પર આઈજી મેરઠનું કહેવું છે કે, પિલખુવા પ્લાઝા પર ગોળી ચલાવાની વાત કહેવામાં આવી રહી છે. અમે સીસીટીવી જોઈ રહ્યા છીએ. આ રૂટ પરથી ઓવૈસીનો કાફલો જઈ રહ્યો હતો. અમુક લોકો અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા, એટલી જાણકારી મળી હતી. હાલમાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ નથી. તેમણે કહ્યું કે, સીસીટીવી તપાસ બાદ ખબર પડશે કે, ફાયરીંગ થયું છે કે નહીં, ત્યાર બાદ તેની પુષ્ટિ કરવામાં આવશે. તો વળી ટોલ કર્મીઓનું કહેવું છે કે, કોઈ ફાયરીંગ થયુ નથી.
આપને જણાવી દઈએ કે, હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી યુપીમાં ગઠબંધન પરિવર્તન મોર્યા સાથે મળીને આ વખતે ચૂંટણી લડી રહી છે. એટલું જ નહીં હાલના દિવસોમાં તે પશ્ચિમી યુપીના કેટલાય જિલ્લામાં પ્રચાર પણ કરી રહ્યા છે. હકીકતમાં પશ્ચિમી યુપીમાં જ પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરી અને બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થવાનું છે.