અયોધ્યામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બાદ હવે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ મુકાવામાં આવ્યો છે. દિલ્હીથી અયોધ્યા સુધીનો આ પ્રોજેક્ટ છે જેમા 2 કલાકમાં લોકો અયોધ્યા પહોચી શકશે.
અયોધ્યામાં મુકાયો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ
માત્ર 2 કલાકમાં દિલ્હીથી અયોધ્યા જઈ શકાશે
75 એકડમાં એરપોર્ટ પાસે તૈયાર થશે બુલેટ ટ્રેનનું સ્ટેશન
અયોધ્યામાં રામમંદિરને લઈને વિકાસના કામો પણ ઝડપથી થઈ રહ્યા છે. ત્યારે હવે અહીયા કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેનનો પણ પ્લાન મુકવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારે અયોધ્યામાં એરપોર્ટ બનાવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે અહીયા સરકાર દ્વારા બુલેટ ટ્રેનની યોજના મુકવામાં આવી આવી છે.
2 કલાકમાં દિલ્હીથી અયોધ્યા
દિલ્હીથી અયોધ્યાનું અંતર 670 કિમી છે. પરંતુ બુલેટ ટ્રેન મુક્યા પછી માત્ર 2 કલાકમાં તમે દિલ્હીથી અયોધ્યા પહોચી શકશો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા બુલેટટ્રેનનું સ્ટેશન તેમજ યાર્ડ અને અન્ય સુવિધાઓને લઈને નિરિક્ષણ કરવામાં આવ્યું છે.
75 એકડમાં બનશે બુલેટ ટ્રેનનું સ્ટેશન
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે અયોધ્યામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન 75 એકડમાં બનાવામાં આવશે. સાથેજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસેજ આ સ્ટેશનને બનાવામાં આવશે. સાથેજ એવી માહિતી પણ સામે આવી છે કે બુલેટ ટ્રેનનું સ્ટેશન લખનઉ તેમજ ગોરખપુર બાયપાસથી ઘણું નજીક રાખવામાં આવશે.
NOCની કામગીરી યથાવત
કોર્પોરેશન દ્વારા એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી આ યોજનાને લઈને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ માટે અરજી આપવામાં આવી છે. જેવું આ સર્ટિફિકેટ મળશે કે આગળ કામગીરી શરૂ કરવામાં આવશે.
દિલ્હી-વારણસીનો ટ્રેક અલગ રહેશે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે આ યોજનાનો વિસ્તૃત રિપોર્ટ તો પછી બનશે. સાથેજ અયોધ્યામાં જે બુલેટ ટ્રેનની યોજના મુકવામાં આવી છે. તે યોજનાનો ટ્રેક દિલ્હી-વારણસી બુલેટટ્રેનથી અલગ રહેશે. ઉપરાંત મહત્વની વાત એક છે આ યોજના પાછળ 200 કરોડનો ખર્ચો થશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.