બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતના 158 ગામડાઓમાંથી જમીન સંપાદન કરવાની છે જેમાં ખેડૂતોને 2011ના જંત્રીના ભાવે વળતર ચૂકવવામાં આવશે પણ ખેડૂતો એ આ અંગે હાઈકોર્ટમાં અરજી કરીને હાલના બજારભાવે જમીન સંપાદનનું વળતર આપવામાં આવે તેવી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે આજે હાઈકોર્ટે ખેડૂતોની અરજી ફગાવી હતી.
જમીન સંપાદન મામલે રૂા. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા
ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવી
હાલમાં 2600 જેટલા પ્લોટ મેળવી લેવામાં આવ્યા છે
ખેડૂતોની જમીન સંપાદનને લઈને વધુ વળતરની માંગ માટે આજે હાઈકોર્ટમાં જસ્ટિસ અનંદ દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો જેમાં ખેડૂતોની માંગ ફગાવી દીધી હતી.
ખેડૂતોનો શું છે આક્ષેપ
ખેડૂતો એ જમીન સંપાદન મામલે એવો આક્ષેપ કર્યો છે કે 2011માં નક્કી કરેલી જંત્રી પ્રમાણે નહીં પરંતુ અમને આજે જમીનના જે ભાવ હોય તે ભાવ આપો અને વળતરની રકમ કેન્દ્ર સરકારની જમીન સંપાદન મુજબ ચુકવો. રાજ્ય સરકારના જમીનના સંપાદન અનુસાર ખેડૂતોને વળતર ઓછુ મળે છે.
ગુજરાતની 158 ગામની જમીન સંપાદન કરવામાં આવી રહ્યુ છે
મુંબઈથી અમદાવાદ સાબરમતી જંકશન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. જેમાંથી જમીન સંપાદન મામલે રૂા. 17000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતના 158 ગામોની જમીન સંપાદીત કરવાની છે જેમાં માત્ર 15 ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈને તકલીફ ઉભી થઈ હતી.
કેટલી જમીન સંપાદન કરવામાં આવી છે?
ગુજરાતના 5300થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે. જે મુજબ હાલમાં 2600 જેટલા પ્લોટ મેળવી લેવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2023 સુધીમાં પુરો કરવાનો ટાર્ગેટ છે.