મુંબઇમાંથી રેડ સિગ્નલ મળ્યું તો ગુજરાતમાં જ બુલેટ ટ્રેન દોડી શકે છે. કેન્દ્ર સરકારની બુલેટ ટ્રેનને ટ્રેક પર ઉતારવાની કવાયત શરૂ થઇ છે. મુંબઇમાં જમીન સંપાદનમાં મુશ્કેલી આવશે તો ગુજરાતમાં જ બુલેટ ટ્રેન દોડશે, એવું જણાઇ રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે નીતિન પટેલના નિવેદન અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.
બુલેટ ટ્રેનની ચિંતા કરતા નીતિન પટેલ મેટ્રોની ચિંતા કરેઃ કોંગ્રેસ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ માટે મહારાષ્ટ્ર સરકાર જવાબદાર: નીતિન પટેલ
મહારાષ્ટ્ર સરકાર મદદ નહીં કરે તો બુલેટ ટ્રેન બે ફેઝમાં નહીં ચાલેઃ રેલવે મંત્રાલય
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદનના કારણે વિલંબ થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ પ્રોજેક્ટમાં વિલંબ કરવા માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી છે. ત્યારે કોંગ્રેસે નીતિન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, બુલેટ ટ્રેનની ચિંતા કરતા નીતિન પટેલ મેટ્રોની ચિંતા કરે. 2007ની ચૂંટણીમાં PM મોદીએ મેટ્રોની જાહેરાત કરી હતી. જાહેરાત 2012 સુધી તો માત્ર હોર્ડિંગ્સ પૂરતી રહી. વિશ્વનો એકમાત્ર યુનિક પ્રોજેક્ટ જે સૌથી નાનામાં નાનો છે.
વધુમાં તેમણે કહ્યું કે, હાલ અમદાવાદ મેટ્રો માત્ર 6 કિમિ જ લાંબી કાર્યરત છે. હાલ મેટ્રોમાં માત્ર 3 કોચ જ દોડાવવામાં આવે છે. 54માંથી માત્ર 4 સ્ટેશન જ ઓપરેટ થઈ રહ્યા છે. કેગએ નોંધ્યું છે કે મેટ્રો પ્રોજેક્ટમાં 400 કરોડનું કૌભાંડ થયું છે. ચૂંટણીમાં આપેલ વાયદાઓ પૂર્ણ કરવામાં ભાજપ નિષ્ફળ રહી. મહારાષ્ટ્રના બદલે નીતિન પટેલ મેટ્રો અંગે જવાબ આપે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ માટે મહારાષ્ટ્ર સરકાર જવાબદાર: નીતિન પટેલ
આ વિલંબ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું હતં કે, મહારાષ્ટ્રની શિવસેના, કોંગ્રેસ અને NCPની સરકાર હાથે કરીને આ પ્રોજેક્ટમાં વિલંબ કરે છે.
મહારાષ્ટ્ર સરકાર મદદ નહીં કરે તો બુલેટ ટ્રેન બે ફેઝમાં નહીં ચાલેઃ રેલવે મંત્રાલય
ગઇકાલે રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર મદદ નહીં કરે તો બુલેટ ટ્રેન બે ફેઝમાં નહીં ચાલે. બુલેટ ટ્રેન અમદાવાદથી વાપી વચ્ચે 325 કિમી ટ્રેક પર શરૂ થઇ શકે છે. જમીન સંપાદનની મંજૂરી મળે તો જ વાપીથી બાંદ્રા સુધી બુલેટ ટ્રેન ચાલશે. બુલેટ ટ્રેન માટે અત્યાર સુધી જમીનનો 67 ટકા ભાગ મળ્યો છે. 67 ટકામાંથી ગુજરાતમાં 956માંથી 825 હેક્ટર જમીન સંપાદન થયું છે. ગુજરાતમાં 90 ટકા જમીન સંપાદન થતા ટેન્ડર જારી કરી કામ શરૂ કરાયું છે. મહારાષ્ટ્ર સરકારે 4 મહિનામાં જમીન સંપાદનનો વિશ્વાસ અપાવ્યો છે. મહારાષ્ટ્રમાં 432 હેક્ટરમાંથી 97 હેક્ટર જ જમીન સંપાદન થઇ શક્યું છે. મહારાષ્ટ્રમાં જરૂરી જમીનનો 22 ટકા ભાગ જ સંપાદન થઇ શક્યો છે.