જોધપુર-અમદાવાદ નેશનલ હાઇવે પર જોધપુરથી પાલી જતી વખતે લગભગ 20 કિમી દૂર રસ્તા પાસે એક મંદિર આવેલુ છે.
આ મંદિરમાં કોઇ દેવી-દેવતાની નહી પણ એક બુલેટ બાઇકની પૂજા કરવામાં આવે છે. અહીં માત્ર સામાન્ય જનતા નહી પણ પોલીસવાળા પણ દર્શન કરવા માટે આવે છે. તો જાણીએ આ મંદિરનું મહત્વ અને મોટર સાઇકલની પૂજાનું કારણ શું છે....
.
બાઇકને સમર્પિત આ મંદિરમાં ઓમ બન્નાનું સમર્પિત છે. ઓમ બન્નાનું આખું નામ ઓમ સિંહ રાઠોડ છે, તે પાલી શહેર પાસે આવેલા ચોટિલા ગામના ઠાકુર જોગ સિંહ રાઠોડના પુત્ર હતા. વર્ષ 1988માં આ બાઈક પર ગામ પરત ફરતી વેળાએ એક દુર્ઘટનામાં ઓમ બન્નાનું મૃત્યુ થયુ હતુ.
સ્થાનિકો અનુસાર, તેઓ સાંજના સમયે ગામમાં પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન ટ્રક સાથે એક્સિડન્ટ થતા તેઓ મૃત્યુ પામ્યા હતા. ઓમ બન્નાના એક્સિડન્ટ પછી પોલીસ ઘટનાસ્થળે આવી તેમનું શબ અને બાઇક બંને સ્ટેશને લઇ ગઇ.
જોકે બીજા દિવસે બાઇક પોલીસ સ્ઠેશનમાં નહી પરંતુ જ્યાં એક્સિડન્ટ થયો હતો ત્યાં હતુ. પોલીસ ફરી એક વખત આ બાઇકને પોલીસ સ્ટેશન લઇને આવી પરંતુ ફરી એક વખત આ બાઇક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઇને ઘટનાસ્થળે પહોંચી ગયુ. ત્યાર પછી પોલીસે આ બાઇકને સાંકળથી બાંધી દીધુ, તો સાંકળ તોડીને આ બાઇક ઘટના સ્થળે પહોંચી ગયુ જ્યાં ઓમ બન્નાનો અકસ્માત થયો હતો.
આ રીતે વારંવાર બાઈક ઘટનાસ્થળે પહોંચી જતા ઓમ બન્નાના પિતાએ આ ઘટનાને ઓમ બન્નાની ઇચ્છા માનીને બાઇકને ત્યાંજ ચબૂતરો બાંધીને ઉભુ કરવામાં આવ્યુ. રણકે આ બાઈક ઓમ બન્નાનું મિત્ર સમાન હતું. ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. અહીંથી પસાર થતા તમામ યાત્રીઓ આ મંદિરમાં પ્રાર્થના કરીને આગળ વધે છે. ઓમ બન્નાના જન્મદિવસે સ્થાનિકો લોકો ઉત્સવની જેમ ઉજવે છે. આ દમરિયાન બાઇક રેલી અને ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.