રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં જંગલેશ્વર વિસ્તારમાં 500 ગેરકાયદે બાંધકામોનું ડીમોલેશન હાથ ધરાશે. મનપાએ જંગલેશ્વર વિસ્તારમાં ડીમાર્કેશન કર્યું
રાજકોટ મનપાની મેગા ડીમોલેશનની તૈયારી
જંગલેશ્વર વિસ્તારમાં 500 બાંધકામોનું ડીમોલેશન
15 મીટરના TP રોડ પર ગેરકાયદે બાંધકામનો સર્વે
રાજકોટ મનપા દ્વારા મેગા ડીમોલેશનની તૈયારી
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વધુ એક મેગા ડિમોલીશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. આમ વર્ષો પછી શહેરના સૌથી જૂના વિસ્તાર એવા જંગલેશ્વર વિસ્તારમાં રોડ પર રહેલા દબાણો હટાવીને આ માર્ગ ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ લેવામાં આવી છે. મહત્વનું છે કે, રોજકોટ મનપાના કર્મચારીઓએ ડિમોલીશન પુર્વે પોલીસ બંદોબસ્ત સાથે દબાણોનો સર્વે પૂર્ણ કર્યો છે.
જંગલેશ્વર વિસ્તારમાં 500 બાંધકામોનું ડીમોલેશન કરાશે
રાજકોટ મનપાના સુત્રોના જણાવ્યા અનુસાર જંગલેશ્વરના 15 મીટરના ટીપી રોડ પર વર્ષો જુના 500 જેટલા મકાન આવેલા છે. આ પૈકી મોટા ભાગના મકાનોના આગળના ભાગે રોડ ઉપર દબાણ કર્યું છે. ભુતકાળમાં આ દબાણો હટાવવાના સર્વે થયા હતા તે બાદ તાજેતરમાં ફાઇનલ સર્વે શરૂ કર્યો હતો. ટીપી અધિકારીઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરીને કપાતમાં આવતા મકાનો પર માર્કિંગ પણ કરવામાં આવ્યા છે. આમ વિસ્તારોમાંથી દબાણો હટતાની સાથે માર્ગ ખુલ્લો થશે જેને લઈને વાહન વ્યવહાર માટેનો મોટો રસ્તો ખુલશે. બીજી તરફ આ ડિમોલીશન થાય એટલે સોરઠીયાવાડી ચોકનું આ તરફનું ટ્રાફિકનું ભારણ પણ હળવું થવાની આશા છે.
રાજકોટ મનપાએ પોલીસ બંદોબસ્ત સાથે સર્વે પૂર્ણ કર્યો
ઉલ્લેખનીય છે કે, રાજકોટના સૌથી મોટા ડિમોલીશન માટે પણ મનપાની ટીપી શાખાએ વહીવટી પ્રક્રિયા કરી છે. આ ડિમોલીશન જયારે થાય ત્યારે પરંતુ જંગલેશ્વરના વિસ્તારમાં પણ 500 જેટલા મકાનો હટાવવાની તૈયારી શરૂ થઇ છે. તેમજ આ અંગે મનપાની ટીમો દ્વારા પૂર્ણ કરાયેલા સર્વેના આધારે આસામીઓને નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.