પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેને લઈને પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ જવા પામ્યો છે.
પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર શરૂ
યોગી આદિત્યનાથનું બુલડોઝરથી કર્યું સ્વાગત
યોગી આદિત્યનાથે ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા કર્યું આહવાન
પ્રથમ તબક્કાના ઉમેદવારો દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે મોરબીનાં વાંકાનેર ખાતે કુવાડવા વિધાનસભા બેઠકના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં વાંકાનેર શહેરમાં કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવાર દ્વારા યોગી આદિત્યનાથનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સભા સ્થળ પર 3 જેસીબી મશીન દ્વારા યોગી આદિત્યનાથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા સહિત તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને ખાસ કરીને સ્થાનિક તમામ આગેવાનોએ જીતુભાઈ સોમાણીને જંગી લીડ સાથે વિજય બનાવવા માટે લોકોને આહવાન કર્યું હતું.
જ્યાં જ્યાં દરગાહમાં હિન્દુઓના અવશેષો છે ત્યાં મંદિરનું નિર્માણ ચોક્કસ થશેઃ જીતુભાઈ સોમાણી
આ બાબતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે તેમણે અયોધ્યાનુ રામ મંદિર, કાશી વિશ્વનાથ, કાશ્મીરમાં 370 ની કલમ અને હજુ પણ જે કલમો દૂર કરવાની છે તે ચોક્કસ થવાની છે. અને હજુ પણ આ દેશના મંદિરોનુ નિર્માણ કાર્ય પણ થશે. તેમજ જ્યાં જ્યાં દરગાહમાં હિંન્દુઓનાં અવશેષો છે ત્યાં મંદિરનું નિર્માણ થવાનું જ છે તે વાત ચોક્કસ છે.