ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોનું સ્થળાંતર, અધિકારીઓએ જણાવ્યું કે, જે ઈમારતોમાં તિરાડો પડી છે અને વધુ નુકસાન થયું છે તેને.....
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે એક મોટા સમાચાર
જે ઈમારતોમાં તિરાડો પડી,વધુ નુકસાન થયું તે તોડી પડાશે
ડિમોલિશનનું કામ આજથી એટલે કે મંગળવાર (10 જાન્યુઆરી)થી શરૂ થશે
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તરફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે ઈમારતોમાં તિરાડો પડી છે અને વધુ નુકસાન થયું છે તેને જમીન પર તોડી પાડવામાં આવશે, જેથી નજીકની ઈમારતોને નુકસાન ન થાય. એવું કહેવામાં આવ્યું છે કે, ડિમોલિશન નું કામ આજથી એટલે કે મંગળવાર (10 જાન્યુઆરી)થી શરૂ થશે.
હવે ઈમારતોને તોડી પાડવામાં આવશે
જોશીમઠના વિસ્તારને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેને ખતરનાક, બફર અને સંપૂર્ણપણે સુરક્ષિત ભાગોમાં રાખવામાં આવ્યો છે. મેગ્નિટ્યુડના આધારે ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને આ ઝોન બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભૂસ્ખલનનો ભોગ બનેલા જોશીમઠની 600થી વધુ ઈમારતો પર તિરાડો પડી ગઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત આ ઈમારતોને તોડી પાડવામાં આવશે.
Uttarakhand | Demolition of Hotel Malari Inn in Joshimath to begin shortly. SDRF deployed at the spot & announcements being made through loudspeakers for people to go to safer places.
Experts decided to demolish Hotel Malari Inn & Hotel Mount View after they were declared unsafe pic.twitter.com/ofPnc8h4cT
30 ટકા વિસ્તાર થયો હતો પ્રભાવિત
જોશીમઠને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે અને આ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ લગભગ 4 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, એવું લાગે છે કે જોશીમઠનો 30 ટકા વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત થયો છે. નિષ્ણાતોની એક સમિતિ આ અંગે સામૂહિક અહેવાલ આપશે, જે પીએમ કાર્યાલયને સુપરત કરવામાં આવશે.
If being demolished in public interest I'm with Govt & admin, even if there are only partial cracks in my hotel. But I should've been given a notice&valuation should've been made.I urge for valuation,I'll leave: Thakur Singh Rana, owner of Malari Inn that'll be demolished shortly pic.twitter.com/EKXUf4v8Wm
PM મોદીએ શક્ય તમામ મદદની આપી હતી ખાતરી
મહત્વનું છે કે, PM મોદીએ રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. જોશીમઠમાં માત્ર એ જ ઈમારતોને તોડી પાડવામાં આવશે જેને નિષ્ણાતો દ્વારા જોખમી જાહેર કરવામાં આવશે. ડિમોલિશન દરમિયાન NDRFની ટીમો પણ ત્યાં હાજર રહેશે. અધિકારીઓનું કહેવું છે કે, રાહત શિબિરોમાં અસરગ્રસ્ત લોકો માટે સામાન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.