ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલ હિંસામાં ઘટનાના આરોપીઓની જામીન પર છુટવા પર ફૂલના હારથી સ્વાગત કરવામાં આવતો વીડિયો વાયરલ થયો હતો. આરોપીઓના સ્વાગતનો વીડિયો વાઇરલ થતા હિંસામાં શહીદ ઇન્સ્પેક્ટરના પરિવારજનોએ સરકારને આવા અસામાજિક તત્વોને જેલમાં જ રાખવાની માંગ કરી છે.
રવિવારે એક વીડિયો સામે આવ્યો હતો જેમા, બુલંદશહેરમાં હિંસાના આરોપીઓ શિખર અગ્રવાલ અને જીતૂ ફોજીનું સમર્થકોએ ફુલ માળા પહેરાવીને સ્વાગત કર્યું હતું, તથા ઉજવણી કરતા નારેબાજી કરવા લાગ્યા હતા.
ગત વર્ષે 3 ડિસેમ્બરે બુલંદશહેરના મહાવ ગામ પાસે કથિત રૂપથી પ્રતિબંધિત પશુઓના હાડપીંજર મળ્યા બાદ થયેલ હિંસા ફાટી નીકળી હતી. શહીદ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહે બુલંદશહેર હિંસાના આરોપીઓનું ફૂલહારથી સ્વાગતના વીડિયો પર આપત્તી દર્શાવી છે.
આ મામલે સુબોધ સિંહની પત્નીએ કહ્યું કે આ નિર્ણયથી હું ખુબ જ દુ:ખી છું, મને નથી સમજાતું કે કયા આધાર પર એ આરોપીઓને જામીન પર મૂક્ત કરાયા છે. સુબોધ સિંહની પત્નીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ માંગ કરી છે કે આરોપીઓના જામીન રદ્દ કરવામાં આવે અને જેલમાં ફરીવાર મોકલવામાં આવે.
Wife of Late Inspector Subodh Singh (who was killed last year in #BulandshahrViolence) on 6 accused persons in #BulandshahrViolence case getting bail:This judgement has saddened me. On what basis this judgement has been given. I demand from CM that their bail should be cancelled. pic.twitter.com/rCl9dGNuuB
શહીદ સુબોધ સિંહના પુત્ર શ્રેય સિંહે કહ્યું કે આવા અસામાજિક તત્વોને જેલમાં રાખવા ઠીક છે. 'હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આગ્રહ કરું છું કે આ આરોપીઓને સમાજના હિતમાં જેલમાં જ રાખવા જોઇએ. મારું માનવું છે કે આવા લોકોનું બહાર રહેવું ન માત્ર મારા માટે પરંતુ બીજા લોકો માટે પણ ખતરનાક છે.'