ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં થયેલી હિંસાના મામલે આજે ઈન્ટેલિજન્સ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. બીજી તરફ હિંસાનો મુખ્ય સુત્રધાર યોજેશ રાજ ઘટનાના બે દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.
જેના પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદા વ્યવસ્થાને લઈને બેઠક પણ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે બુલંદશહેરમાં થયેલી હિંસામાં ઈન્સપેક્ટર સુબોધકુમારનું મોત થયું હતું. જે બાદ પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે અને પૂછપરછ ચાલુ છે.
મહત્વની વાત છે કે દાદરીમાં મોહમ્મદ અખલાકનું મોબ લિંચિંગમાં થયેલા મોતના કેસની તપાસ સુબોધકુમાર કરી રહ્યા હતા. જો કે લો એન્ડ ઓર્ડરના એડીશનલ ડી.જી.આનંદકુમારે જણાવ્યું કે હજુ સુધી આ હિંસામાં કોઈ સંગઠનનું નામ સામે આવ્યું નથી. પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
શાસન દ્વારા મળેલા નિર્દેશ બાદ મોડી રાત્રે એડીજી ઇન્ટેલિજન્સ સોમવારે રાત્રે સીધા સ્યાના પહોંચ્યા. જ્યાં પહેલાથી જ ડીએમ-એસએસપી કેમ્પ છે.