બુલંદશહેરમાં 2018માં થયેલી હિંસા મામલે કોર્ટે તમામ 36 આરોપીઓ પર રાજદ્રોહની કલમ 124A લગાવવાનો આદેશ આપ્યો છે.
2018માં થઇ હતી આ હિંસા, SHO સહિત બેની હત્યા
તમામ આરોપીઓ પર ચાલશે રાજદ્રોહનો કેસ
હિન્દુ સંગઠન બજરંગ દળના યોગેશ રાજનું નામ હતું નંબર વન
નોંધનીય છે કે, 3 ડિસેમ્બર, 2018ના રોજ હિન્દુ સંગઠનોએ ગૌ અવશેષો મળવા પર બુલંદશહર જિલ્લાના સ્યાના પોલીસ સ્ટેશન વિસ્તારની ચિંગરાવટી ચોકી સામેનો રસ્તો રોકીને પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું હતું કે, ત્યારે આગચંપની ઘટના સાથે સાથે તત્કાલીન સ્ટેશન ઈન્ચાર્જ સુબોધ સિંહની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં વિસ્તારના યુવક સુમિતનું પણ મોત થયું હતું. આ ઘટના બાદ SITએ આ કેસમાં 44 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હિન્દુ સંગઠન બજરંગ દળના યોગેશ રાજનું નામ નંબર વન હતું.
આ તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં. જેમાંથી પાંચ આરોપીઓ સામે હત્યાના ગુનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બાકીના આરોપીઓ પર પોલીસ દ્વારા હત્યાનો પ્રયાસ, હુલ્લડ, આગચંપી, પ્રદર્શન વગેરેના આરોપો લગાવીને ચાર્જશીટ દાખલ કરાઇ હતી. મુખ્ય આરોપી યોગેશ રાજ હાઈકોર્ટ દ્વારા જામીન પર બહાર આવ્યો હતો.
ત્યાર બાદ શહીદ ઈન્સ્પેક્ટર સુબોધ કુમારની પત્ની રજની સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે, વિચારણા હેઠળના કેસમાં નિશ્ચિત સમયમાં આરોપીઓ પર ચાર્જશીટ અને હાલના પુરાવાના આધારે આરોપ નક્કી કરવામાં આવે. આ સાથે એવી પણ અરજી કરવામાં આવી હતી કે, મુખ્ય આરોપી યોગેશ રાજની પોલીસ રાજકીય દબાણ હેઠળ ધરપકડ નહીં કરે.
સુપ્રીમ કોર્ટે યોગેશ રાજની હાઈકોર્ટની જામીન અરજી પર સ્ટે મુક્યો હતો
ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે યોગેશ રાજની હાઈકોર્ટની જામીન અરજી પર સ્ટે મુક્યો હતો અને યોગેશ રાજને એક સપ્તાહમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો, જે અંતર્ગત યોગેશ રાજે સરેન્ડર કર્યું હતું અને તે હાલ જેલમાં છે. આ સાથે કોર્ટને ચાર્જ ફિક્સ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
એ અંતર્ગત એડીજે 12મી વનિતા વિમલે પોતાના આદેશમાં કહ્યું કે, ચિંગ રાવટી ચોકીની સામેની આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને અરાજકતા ફેલાઈ હતી. સાથે હિંસાને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. આ કારણોસર તમામ 36 આરોપીઓ પર કલમ 124A ના કારણે રાજદ્રોહની કાર્યવાહી કરવામાં આવી હતી.
કોર્ટના આદેશ મુજબ કેસમાં દલીલ કરવામાં આવશે
સ્યાના હિંસામાં સ્પેશિયલ ગવર્નમેન્ટ ચેરમેન તરીકે નિયુક્ત થયેલા યશપાલ સિંહ રાઘવે કહ્યું કે, 36 આરોપીઓ પર કોર્ટ દ્વારા રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમની સામે હવે રાજદ્રોહના કેસમાં અન્ય કલમો સાથે કેસ ચલાવવામાં આવશે. આરોપી યોગેશ રાજના એડવોકેટ બ્રુનો ભૂષણનું પણ કહેવું છે કે, કોર્ટના આદેશ મુજબ કેસમાં દલીલ કરવામાં આવશે.