ઉત્તરપ્રદેશના બુલંદશહેરના પગોના ગામમાં બે સાધુની હત્યા કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં સુઈ રહેલા બે સાધુની હત્યા કરી દેવામાં આવી છે. ગામજનોએ હથિયાર સાથે ફરાર થતા એક શખ્સને પકડી લીધો હતો. સ્થાનિકોએ આરોપીને માર મારીને પોલીસને સોંપ્યો છે. પોલીસે આ સમગ્ર સ્થિતિ કંટ્રોલમાં લઈ લીધી છે. અને આરોપીને ઝડપી લીધો છે. પોલીસનું માનીએ તો આરોપી શખ્સ નશાની હાલતમાં હતો અને બન્ને સાધુની હત્યા કરી છે. સીએમ યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં બે સાધુની હત્યા
આરોપીએ નશાની હાલતમાં કરી સાધુઓની હત્યા
ગ્રામજનોએ આરોપી શખ્સને પકડીને પોલીસને સોંપ્યો
યૂપીના બુલંદશહરેમાં સોમવારની રાતે 2 સાધુઓની હત્યા કરવામાં આવી. ડીએમએ ઘટનાને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ કહ્યું કે પૂછપરછમાં આરોપીઓએ કહ્યું છે કે ભગવાનની ઈચ્છા હતી, એટલે ડંડાથી મારી મારીને બે સાધુંઓને મારી નાંખ્યા. બંને આરોપીઓએ તેમનો ગુનો કબૂલ કર્યો છે. આ ઘટનાની પાછળ કોઈ અંગત અદાવત કારણભૂત નથી. બંને આરોપી નશામાં હતા અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.
ગુનો કબૂલ્યા બાદ આ વાત પણ કહી આરોપીઓએ
ડીએમએ ઘટનામાં તલવાર કે અન્ય ધારદાર હથિયારના ઉપયોગને લઈને સવાલના જવાબમાં કહ્યું છે કે બંને સાધુઓની ડંડાથી પીટીને હત્યા કરી છે તેમ આરોપીઓએ કહ્યું છે. બંને ઘટનાના સમયે નશામાં હતા. ધરપકડ કરી તે સમયે પણ તે નશામાં હતા. આરોપીઓએ કહ્યું ભગવાનની ઈચ્છા હતી માટે આવં કર્યું. રાતે તેઓ મંદિર ગયા અને સાધુની પાસે ડંડો પડ્યો હતો તેનાથી તેમની હત્યા કરી દીધી.
સીએમ યોગીએ માંગ્યો રિપોર્ટ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગામના પગોના, પોલીસ સ્ટેશન અનુપશહર, જિલ્લા બુલંદશહેરમાં હત્યાની ઘટનાની નોંધ લીધી છે. તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને બનાવની વિગતવાર વિગતો આપવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની સૂચના આપી છે.
સાધુઓની હત્યાને લઈને અખિલેશ યાદવે કહી આ વાત
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તથા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ કેસમાં ન્યોયોચિત કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાનું રાજિનીતિકરણ ન કરવાની માંગ કરી છે. તેઓએ ટ્વિટર પર લખ્યું છે કે ઉત્તરપ્રદેશમાં બુલંદ શહેરમાં મંદિર પરિસરમાં બે સાધુઓની નૃશંસ હત્યા કરી છે. તેની પાછળ મનોવૃત્તિનું મૂળ કારણ કે અપરાધિક કારણની તપાસ કરવાની જરૂર છે.
उप्र के बुलंदशहर में मंदिर परिसर में दो साधुओं की नृशंस हत्या अति निंदनीय व दुखद है.
इस प्रकार की हत्याओं का राजनीतिकरण न करके, इनके पीछे की हिंसक मनोवृत्ति के मूल कारण या आपराधिक कारण की गहरी तलाश करने की आवश्यकता होती है. इसी आधार पर समय रहते न्यायोचित कार्रवाई करनी चाहिए.
મળતી માહિતી મુજબ, બુલંદશહેરના અનુપશહર કોટવાલીના પગોના ગામે સ્થિત શિવ મંદિરમાં સાધુ જગનદાસની ઉમર (55) વર્ષ અને સેવાદાસ (35) છેલ્લા 10 વર્ષથી રહેતા હતા. બંને સાધુઓ મંદિરમાં રહેતા અને પૂજામાં લીન રહેતા. સોમવારે મોડી રાત્રે મંદિરના પરિસરમાં બંને સાધુઓની હત્યા કરાઈ હતી. જ્યારે મંગળવારે સવારે ગામલોકો મંદિરે પહોંચ્યા હતા, ત્યારે તેઓ સાધુઓના લોહીમાં લથપથ મૃતદેહ મળી આવ્યા હતા. આ જોઈને મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિરે પહોંચ્યા.