બુલંદ શહેર હિંસા મામલાના 6 આરોપીઓને જામીન પર જેલમાંથી છોડવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટતા તમામ આરોપીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યુ. ત્યારે આ સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
ફૂલહારથી કરવામાં આવ્યું સ્વાગત
નોંધનીય છે કે, આ આરોપીઓ પર રાજદ્રોહ, હત્યા અને બળવો કરાવવાનો ગુનો છે. સ્યાના હિંસાના આરોપી જીતુ ફૌજી,શિખર અગ્રવાલ,ઉપેન્દ્રસિંહ રાઘવ અને સૌરભ તથા હેમુને જામીન મળતા તેઓ જેલની બહાર આવ્યા હતા. ત્યારે હિન્દુ સંગઠનથી જોડાયેલા લોકોએ ફૂલહારથી તેમનું સ્વાગત કર્યુ.
#WATCH Bulandshahr: Six accused persons in the #BulandshahrViolence case in which Inspector Subodh Kumar was killed last year, were welcomed with garlands after they were released on bail, yesterday. pic.twitter.com/PtuR2eHBsh
આ સાથે જ ભારતમાતાની જય અને વંદે માતરમના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. શિખર અગ્રવાલ ભાજપ યુવા મોર્ચા સ્યાનાના પૂર્વ નગર અધ્યક્ષ છે. જ્યારે ઉપેન્દ્રસિંહ રાઘવ RSSના કાર્યકર્તા છે. મહત્વનું છે કે, 3 ડિસેમ્બર 2018ના રોજ બુલંદશહેરના સ્યાના પોલીસ સ્ટેશન વિસ્તારના ચિંગરાવઠીમાં ગૌ હત્યા બાદ હિંસા ભડકી હતી.
44માંથી 6 આરોપીઓ જેલામાંથી છૂટ્યા
આ હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધકુમાર અને સુમિતની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી વાહનો અને પોલીસ ચોકીમાં આગ લગાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે 44 લોકોને જેલ હવાલે કર્યા હતા. આ 44માંથી 6 આરોપીઓને સાડા સાત મહિના પછી જામીન પર જેલમાંથી છોડવામાં આવ્યા છે.
કાયદાને હાથમાં લેનારનું સ્વાગત કેમ ?
આ ઘટના અંગે યુપી કોંગ્રેસના પ્રવક્તા દ્વિજેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું છે કે બુલંદ શહેર કેસમાં આપણે બધા જાણીએ છીએ કે ભાજપે કેવી રીતે આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો અને હવે શાસક પક્ષના ટેકેદારો આરોપીઓને આવકારી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગી આદિત્યનાથ સરકારે સ્પષ્ટ કરી દેવું જોઇએ કે કાયદો હાથમાં લેનારા લોકોનો તેમનો પક્ષ હંમેશા સમર્થન કેમ કરે છે?