અમદાવાદમાં AMC દ્વારા લેવાયેલા અડધણ નિર્ણયોને કારણે એએમસી ફરી વિવાદોમાં આવી છે. કારણકે શહેરીજનો માટે પાર્કિગ માટે જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યા હવે બિલ્ડીંગ બનવા લાગી છે.
અમદાવાદમાં AMC તેના અડધણ નિર્ણયોને કારણે વિવાદમાં
પાર્કિગ પ્લોટ પર બિલ્ડીંગ બનતા ઉઠ્યા ગંભીર સવાલો
પાર્કિગની સમસ્યા ન થાય તે માટે પાર્કિગ પ્લોટ ફાળવવામાં આવેલા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અડધણ નિર્ણયનું વધું એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમા એએમસી દ્વારા પાર્કિગ માટે જે પણ પ્લોટ ફાળવવામાં આવ્યા છે ત્યા અન્ય કામકાજ કરવામાં આવી રહ્યા છે. જેથી તેમની પોલીસી અને તેમના દાવાઓ ખોટા હોવાનું સામે આવ્યું છે. કારણકે પાર્કિગ માટેના પ્લોટ પર અન્ય કામ શરૂ કરી દેવામાં આવ્યા છે.
AMCની કામગીરી સામે ગંભીર સવાલ
એએમસી દ્વારા પાર્કિગ માટે જે પણ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ અન્ય કામો માટચે થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં પણ ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. સાથેજ એએમસીની કામીગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
પાર્કિગ પ્લોટ પર બિલ્ડિંગ બનવાનું શરૂ
અમદાવાદની જનતાને શહેરમાં પાર્કિંગની સમસ્યા ન પડે તે માટે એએમસી દ્વારા પાર્કિંગના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જેમા અલગ અલગ સ્થાનોએ આ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. પરંતુ જાણીને તમને નવાઈ લાગશે કે ચાંદલોડિયામાં જે પાર્કિગ પ્લોટ ફાળવવામાં આવ્યો હતો ત્યા બિલ્ડીંગ બનાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
પાર્કિગ પ્લોટમાં અન્ય કામો શા માટે ?
ઉલ્લેખનીય છે કે શહેરમાં પાર્કિગની સમસ્યા હળવી થાય તે માટે પાર્કિગ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ પાર્કિંગ પ્લોટ પર હવે અન્ય કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. જેમા સૌથી પહેલો સવાલ તો એ ઉઠી રહ્યો છે. કે કોર્પોરેશનના નિર્ણયો જનહિત માટે છે કે મનપાની તિજોરી ભરવા માટે.