ગુરૂગ્રામ બાદ હવે દિલ્હીમાં એક બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દિલ્હીના બવાના વિસ્તારમાં જેજે કોલોનીની આ ઘટના હોવાનું કહેવાય છે. જેમાં ચાર લોકો કાટમાળમાં દટાઈ જવાથી મોતને ભેટ્યા હોવાનું માલૂમ પડ્યું છે.
દિલ્હીની બહાર આવેલા એક વિસ્તારમાં મોટી દુર્ઘટના
બિલ્ડીંગ ધરાશાયી થતાં અનેક લોકો દટાયા
4 લોકોના મોત થયા હોવાની વિગતો મળી
ગુરૂગ્રામ બાદ હવે દિલ્હીમાં એક બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. દિલ્હીના બવાના વિસ્તારમાં જેજે કોલોનીની આ ઘટના હોવાનું કહેવાય છે. જેમાં ચાર લોકો કાટમાળમાં દટાઈ જવાથી મોત થયું હોવાનું કહેવા છે. આ અગાઉ પોલીસે જણાવ્યું હતું કે, ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલું છે. જો કે, હજૂ પણ લોકોની શોધખોળ તો ચાલું જ છે.
બાળકો પણ કાટમાળમાં દટાયા
ડીસીપી આઉટર નોર્થ બ્રિજેન્દ્ર યાદવે આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કુલ 6 લોકો બ્લિડીંગના કાટમાળમાં ફસાયા હોવાની વિગતો મળી હતી. જેમાંથી 3ને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બાકી ફસાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ ચાલુ છે.
પોલીસે આપી ઘટનાની જાણકારી
પોલીસના જણાવ્યા અનુસાર બપોરે લગભગ 2.45 કલાકે પોલીસે જાણકારી આપી હતી કે, દિલ્હી જળ બોર્ડ પાસેની એક બ્લિડીંગ પડી ગઈ છે. જેમાં અમુક લોકો દટાયા છે. કાળમાળમાં બાળકો હોવાની જાણકારી મળી હતી. તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ બિલ્ડીંગ રાજીવ રતન આવાસમાં બની હતી. જ્યાં લગભગ 300-400 ફ્લેટ છે.