અમદાવાદમાં ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બાદ તંત્ર જાગ્યું છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે જર્જરિત ઇમારતોને નોટિસ મારવાનું શરૂ કર્યું છે. કોર્પોરેશને જર્જરિત ઇમારતો બહાર જાહેર ચેતવણીની નોટિસો લગાવી દીધી છે.
જ્યારે આ ભયજનક મકાન હોવાથી નજીક જવું નહીં તેવી લોકોને સૂચના આપવામાં આવી છે. જો કે અમદાવાદ શહેરના પોળ વિસ્તારોમાં અનેક જર્જરિત ઇમારતો છે ત્યારે તંત્ર આવી ઇમારતોને દૂર કરવાની જગ્યાએ માત્ર નોટિસ લગાવી સંતોષ માની રહી છે.
જો અમદાવાદમાં મકાનો ધરાશાયી થવાનું યથાવત જોવા મળ્યું હતું. જેમાં શહેરમાં આજરોજ વધુ એક જમાલપુર ખાતે એક મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
અમદાવાદમાં આજે વધુ એક મકાન ધરાશાયી થવાની વધુ એક ઘટના સામે આવી હતી. દરિયાપુરથી પ્રેમ દરવાજા વચ્ચે મકાન ધરાશાયી થયું હતું. દરિયાપુરમાં ત્રણ માળનુ મકાન ઘરાશાયી થયુ છે. જો કે સદનસીબે આ ઘટનામાં જાનહાની થઇ નથી છે.
ગઇકાલે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. અમરાઇવાડી વિસ્તારના બંગલાવાડી ચાલીમાં મકાન ધરાશાયી થયું હતું. જો કે હજુ પણ કેટલાંક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.
આમ છેલ્લા બે દિવસમાં ત્રણ મકાન ધરાશાયી થવાની ઘટનાથી તંત્ર સાબદુ જાગ્યું છે. જેને લઇને તંત્રના એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ મારવાનું શરૂ કર્યું છે. શહેરની પોળમાં આવેલા જર્જરિત મકાનની બહાર જાહેર ચેતવણીની નોટિસ લગાવવામાં આવી છે. જેને લઇને ભયજનક મકાન હોવાના કારણે નજીક નહીં જવા સૂચના અપાઇ છે.