અમદાવાદ શહેરમાં મકાન ધરાશાયી થવાનો સિલસલો યથાવત જોવા મળ્યો છે. જેમાં પાંચ કુવામાં એકસાથે ત્રણ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મહોલ્લા નગરમાં એકસાથે ત્રણ મકાન ધરાશાયી થવા હોવાની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જેને લઇને ફાયરની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે આ બિલ્ડીંગ ધરાશાયીમાં કેટલાંક લોકો દબાયા હોવાની શંકા છે.