અમદાવાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા પાંચ લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ત્રણ મકાન ધરાશાયી થયા છે. ત્રણ મકાન ધરાશાયી થતા પાંચ જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 11 જેટલા લોકોને ઈજા પહોંચી હતી.
અમદાવાદના અનેક વિસ્તારોમાં મકાન ધરાશાયી થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. શહેરના પોળ વિસ્તારમાં મકાનો ઘણી વખતે ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.
કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. કોર્પોરેશન દ્વાર માત્ર નોટિસ પાઠવીને સંતોષ માનવામાં આવે છે. જર્જરીત થયેલા મકાનમાં લોકો વસવાટ કરી રહ્યા છે. અમદાવાદના જમાલપુર, કાલપુર, શાહપુર વિસ્તારમાં પોળના મકાન જર્જરીત છે.
અમદાવાદ શહેરમાં 2000થી વધુ મકાન જર્જરિત હોવા છતાં કોર્પોરેશનની લાપરવાહી સામે આવી છે. જેને લઇને શહેરની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.
આમ છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3 મકાન ધરાશાયીની ઘટના સામે આવી છે. જેમાં ગઇકાલે અમરાઇવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં 5 લોકોનાં મોત નિપજયાં હતા જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા.
જ્યારે આજરોજ ફરી શહેરમાં બે અલગ-અલગ વિસ્તારમાં મકાન ધરાશાયીની ઘટના બની છે. જેમાં જમાલપુરમાં મકાન ધારાશયી થયું હતું. તંત્ર દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય દરિયાપુરથી પ્રેમદરવાજા વચ્ચે એક મકાન ધરાશાયી થયું હતું.
જો કે સદ્દનસીબે મકાનમાં કોઇ રહેતું ન હોવાથી કોઇ જાનહાનિ થઇ નહોતી. આમ ભારે વરસાદ બાદ શહેરની પોળ વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોમાં ધરાશાયી થવાની ઘટનાઓ બને છે.
અમદાવાદમાં ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બાદ તંત્ર જાગ્યું છે. એસ્ટેટ વિભાગે જર્જરિત ઇમારતોને નોટિસ મારવાનું શરૂ કર્યું છે. જર્જરિત ઇમારતો બહાર જાહેર ચેતવણીની નોટિસો લગાવવામાં આવી છે.
અને ભયજનક મકાન હોવાથી નજીક જવું નહીં તેવી સૂચના અપાઇ છે. ત્યારે અમદાવાદના પોળ વિસ્તારોમાં અનેક જર્જરિત ઇમારતો છે ત્યારે તંત્ર આવી ઇમારતોને દૂર કરવાની જગ્યાએ માત્ર નોટિસ લગાવી સંતોષ માની રહી છે.