આયકર વિભાગે એવું સ્પષ્ટ કર્યુ છે કે જો કોઇ ઘર ખરીદનારે ગયા વર્ષમાં બુક કરાવેલ ફ્લેટને કેન્સલ કરે છે તો બિલ્ડરને તે ફ્લેટને માટે જીએસટી ચૂકવણી રિફન્ડ કરવાની રહેશે. આવું રિફન્ડ કરવાને બદલે બિલ્ડરને ક્રેડિટ સમાયોજનની સુવિધા મળશે. આ સ્પષ્ટીકરણ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી) દ્વારા કરવામાં આવેલ છે.
આ છે વર્તમાન નિયમઃ
તાજેતરનાં ફેરફાર અંતર્ગત બિલ્ડરોને હવે વગર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધાનો લાભ ઉઠાવે સસ્તી આવાસીય પરિયોજનાઓ પર એક ટકા અને અન્ય શ્રેણીઓની આવાસીય એકમો પર પાંચ ટકાનાં દરથી જીએસટી લગાવવાની અનુમતિ આપવામાં આવી છે. નવી વ્યવસ્થા એક એપ્રિલ 2019થી જ લાગુ કરવામાં આવી હતી.
બિલ્ડરોને આપવામાં આવ્યો આ વિકલ્પઃ
બિલ્ડરોની જે પરિયોજનાઓ એક એપ્રિલ 2019થી પહેલાંથી જ ચાલી રહી છે તે મામલામાં તેઓએ નવી વ્યવસ્થા અપનાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવી પરિયોજનાઓ માટે કાં તો જૂની જીએસટી વ્યવસ્થાને જારી રાખી શકો છો અથવા તો એક ટકા અને પાંચ ટકાનો નવા દરને આપ અપનાવી શકો છો.
જીએસટીમાં થયો હતો આ ફેરફારઃ
જૂની વ્યવસ્થામાં સસ્તી આવાસીય પરિયોજનાઓને માટે આઠ ટકા અને અન્ય શ્રેણીઓનાં આવાસીય એકમો માટે 12 ટકાનાં દરથી જીએસટી લગાવવાની જોગવાઇ છે. આમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધાનો લાભ પણ બિલ્ડર ઉઠાવી શકે છે. જ્યારે નવી વ્યવસ્થામાં દરો ઘટાડી દેવામાં આવશે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધાને સમાપ્ત કરી દેવામાં આવેલ છે.
એટલે કે જો કોઇ ડેવલપરે એક એપ્રિલ 2019 પહેલાનાં 10 લાખ રૂપિયાની બુકિંગ કરમ પર 12 ટકાનાં જીએસટી દરથી 1.20 લાખ રૂપિયાનો જીએસટી ચૂકવ્યો છે. આવા બુકિંગનાં કેન્સલ થવાની સ્થિતિમાં બિલ્ડરને તેની અન્ય જીએસટી જવાબદારીઓ સમક્ષ 1.20 લાખ રૂપિયાની સમાયોજનની અનુમતિ હશે.