જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી, જંત્રીના કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઈ ના હોદ્દેદારો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા
જંત્રીના વધારા સામે બિલ્ડર એસોસિએશન મુખ્યમંત્રીને કરશે રજૂઆત
અગાઉ બિલ્ડર બિલ્ડર એસોસિએશને કર્યો હતો વિરોધ
સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યા પહેલાં સર્વે કરવાની જરૂર: પરેશ ગજેરા
સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર થયો છે. હવે ગુજરાતમાં નવા દરો પ્રમાણે જંત્રી વસુલવામાં આવશે. જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈ હવે આજે જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા છે.
બિલ્ડર એસોસિએશન મુખ્યમંત્રીને કરશે રજૂઆત
ગુજરાત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા, સેક્રેટરી સુજીત ઉદાણી સહિતના આગેવાનો આજે મુખ્યમંત્રીને મળશે. આ તરફ મુખ્યમંત્રીને મળ્યા પહેલાં બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું કે, સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યા પહેલાં સર્વે કરવાની જરૂર છે. સર્વે કર્યા બાદ નોટિફિકેશન જાહેર કરીને જંત્રીનો ભાવ વધારવો જોઈએ. મહત્વનું છે કે, અગાઉ જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશને વિરોધ કર્યો હતો.
આજથી જંત્રી નો ભાવ વધારો અમલમાં
મહત્વનું છે કે, આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવ્યો છે. આ તરફ આજે જંત્રીના કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઈ ના હોદ્દેદારો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે. મુખ્યમંત્રી સાથે બેઠક કરતા પૂર્વે હોદ્દેદારોએ તબક્કા વાર જંત્રીમાં ભાવ વધારો કરવો જોઈએ તેવી રજૂઆત પણ કરી છે. આ સાથે કહ્યું છે કે, રાજ્ય સરકાર અને લીધેલા રાતોરાત નિર્ણયના કારણે બાંધકામ ઉદ્યોગને અસર થશે. બિલ્ડર્સનો કહેવું છે કે, જો સરકાર કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરાશે.
સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર થયો છે. હવે ગુજરાતમાં નવા દરો પ્રમાણે જંત્રી વસુલવામાં આવશે. જંત્રીના ભાવ વધારા સામે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજ બાજુ નાગરિકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. જંત્રીના ભાવ વધવાથી રિઅલ એસ્ટેટના ભાવમાં પણ વૃદ્ધિ થશે તેવો પણ મંતવ્યો સામે આવ્યા છે. રાજ્યમાં ભાવ ઉચકાતા દેશ-વિદેશમાંથી રિયલ એસ્ટેટમાં મૂડી રોકાણ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલના તબક્કે નાગરિકો પર બોજો વધશે પરંતુ લાંબા ગાળે ગ્રાહકો અને બિલ્ડર્સને ફાયદો થશે.
જંત્રીનો ડબલ ભાવ થતા બિલ્ડર્સ એસોસિએશનની બેઠક
જંત્રીના ભાવમાં વધારા મામલે ગુજરાતના બિલ્ડરો મુખ્યમંત્રીને આજે રજૂઆત કરશે. જંત્રીના ભાવમાં વધારો કર્યા પહેલાં સમય આપવા બિલ્ડરો માગ કરી રહ્યાં છે. જંત્રીના ભાવમાં વધારો થતાં ગઇકાલે ક્રેડાઈની બેઠક મળી હતી. ક્રેડાઈની બેઠકમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.
નાગરિકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો જંત્રી ભાવને લઈ અમદાવાદના સ્થાનિક જયંતિભાઈ પટેલે જણાવ્યું કે, 2011થી સુધારેલા ન હતા અને બેંકમાં લોન લેવા જઈએ અને વેલ્યુએસન કઢાવતા હતા ત્યારે છેક 2011ની નીકળતી હતી અને જેને લઈ લોન પણ ઓછી મળતી હતી. તેમણે કહ્યું કે, સરકારનો આ નિર્ણય યોગ્ય અને વ્યાજબી છે. અમદાવાદના સ્થાનિક જયદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આ નિર્ણયથી સરકારની આવકમાં વધારો થશે, આ સારૂ કાર્ય છે જેથી ભવિષ્યમાં લાભ થશે.
જંત્રીના ભાવ વધારાને લઈ વર્તમાનમાં બિલ્ડર્સ એસોસિએશન દ્વારા સમય વધારાની માગ કરાઈ છે તેમજ જંત્રીમાં રહેલી વિવિધ વિસંગતતા દૂર કરવા પણ માગ કરાઈ રહી છે. જ્યારે વિવિધ નાગરિકો દ્વારા જંત્રીમાં કરાયેલા ડબલ વધારાને આવકારી રહ્યાં છે જેને લઈ વર્તમાન જંત્રીમાં ડબલ ભાવ વધારાને લઈ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.