દેશના અલગ અલગ રાજ્યોથી નોકરી અને રોજગાર માટે ગુજરાતના સુરત પહોંચેલા લોકોને કોરોના સંકટની વચ્ચે જીવન જીવવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. એવામાં તેઓ પોતાના વતન પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમયે આ લોકોની મદદ માટે સુરતના એક બિલ્ડરે હાથ આગળ કર્યો અને પોતાની નવી સ્કીમના ફ્લેટ્સને આ લોકોને રહેવા માટે આપ્યા. તેઓએ આ ફ્લેટ્સ માટે કોઈ પણ પ્રકારનું ભાડું લીધું નથી. પ્રવાસી નોકરીધંધા અને કામદારોને માટે આ નિર્ણય લીધો છે.
સુરતના આ બિલ્ડરે કરી કોરોના સંકટમાં લોકોની મદદ
સુરતના બિલ્ડરે ફ્રીમાં રહેવા માટે આપી નવી સ્કીમ
નોકરી ધંધા અને કામદારો માટે લીધો નિર્ણય
બિલ્ડિંગમાં રહેવા આવનારા લોકો પાસેથી નથી લેવાઈ રહ્યું કોઈ પણ ભાડુ
કોરોના વાયરસના પ્રકોપથી ફેલાયેલી આર્થિક તંગી બાદ અનેક પરિવાર પોતાના ગામ પરત જવા મજબૂર બન્યા છે. એવામાં સુરતના એક બિલ્ડરેઅન્ય રાજ્યોથી આવેલા લોકોની મદદ માટે બિલ્ડિંગ આપી દીધી છે. અહીં રહેનારાની પાસેથી કોઈ ભાડું લેવાઈ રહ્યું નથી. આ બિલ્ડિંગમાં રહેનાકા લોકોને ફક્ત મેન્ટેનન્સ આપવાનું રહે છે. ઓલપાડના રૂપમમાં રુદ્રાક્ષ લેક પેલેસ નામનો એક પ્રોજેક્ટ બનીને તૈયાર થયો છે. હાલમાં તેને ખરીદવા કોઈ આવી રહ્યું નથી. એવામાં બિલ્ડરે કોરોના સંકટથી પરેશાન લોકોને રહેવા માટે ફ્રી ઘર આપ્યા છે.
સેલેરી ઓછી હોવાના કારણે કે નોકરી જવાના કારણે થઈ રહી છે આર્થિક મુશ્કેલી
રુદ્રાક્ષ લેક પેલેસના બિલ્ડર પ્રકાશ ભાલાણીએ કહ્યું કે 92 ફ્લેટમાંથી 42 ફ્લેટમાં લોકોએ રહેવાનું શરૂ કર્યું છે. તેઓએ કહ્યું છે કે રોજગારની આશાની સાથે અનેક પરિવાર સુરત શિફ્ટ થયા છે. લોકડાઉન અને પછી અનલોકમાં કંપનીઓએ સેલેરી કાપી અથવા તો નોકરીમાંથી જ કાઢી મૂક્યા છે. આ સમયે લોકો પાસે ઘરનું ભાડું ભરવાની પણ તકલીફ થઈ રહી છે. ભાલાણીએ કહ્યું કે જ્યારે અમે સોશ્યલ મીડિયા પર ફ્રી ફ્લેટ્સ આપવાની જાહેરાત કરી તો જરૂરિયાતમંદ લોકો તરત જ અમારી પાસે આવવા લાગ્યા.