બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે ગણેશના કેટલાંક ઉપાયો કરવાથી બાપ્પાની સાથે માં લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ બુધવારના દિવસે કયા ઉપાયોને કરવા જોઈએ.
બુધવારે આ ઉપાય કરવાથી બાપ્પાની સાથે થશે માં લક્ષ્મીની કૃપા
ભગવાન ગણેશજી જલ્દી થશે પ્રસન્ન, ભક્તોના તમામ દુ:ખ થશે દૂર
તમારું ઘર ધન-ધાન્યથી રહેશે ભરપૂર
ગણેશજીની કૃપા મેળવવા કરો આ ઉપાય
હિન્દુ ધર્મમાં ગણેશજીને સર્વપૂજનીય માનવામાં આવ્યાં છે. કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવાનુ વિધાન છે. કહેવાય છે કે ગણેશજીની પૂજાની સાથે કાર્યની શરૂઆત કરવાથી બધા કાર્ય નિર્વિધ્ને પૂરા થાય છે. તો બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાનુ વિધાન છે. આ દિવસે ગણેશની પૂજાની સાથે-સાથે તેમની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે. બુધવારના દિવસે કયા ઉપાય કરવાથી ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે છે.
બુધવારના દિવસે કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધવારના દિવસે ગણેશ મંદિર જાઓ અને ગણેશજીને ગોળનો ભોગ ધરાવો. જેનાથી બાપ્પાની સાથે માં લક્ષ્મીની કૃપા પણ વરસે છે. વ્યક્તિને ક્યારેય પણ ધન-ધાન્યની કમી રહેતી નથી. આ ઉપરાંત બુધવારે ગણપતિને લાડુનો પણ ભોગ લગાવી શકાય છે.
આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બુધવારે ગણેશજીને 21 અથવા 42 જાવિત્રી અર્પણ કરો. આમ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. આ સાથે બુધવારે બાફેલા મગમાં ઘી અને ખાંડ મિક્સ કરો અને ગાયને ખવડાવવાથી વ્યક્તિને દેવામાંથી જલ્દી છૂટકારો મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધવારે મંદિરમાં જઇને ગણેશજીને દૂર્વા અને લાડુ અર્પણ કરો. જેનાથી સુખ-સમૃદ્ધીનો આશીર્વાદ મળે છે. એટલું જ નહીં, બુધવારે સૂર્યોદય પહેલા બે મુઠ્ઠી મગ લઇને પોતાની પર ફેરવીને પોતાની મનોકામના બોલો અને મગને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. જેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરી જાય છે.
બુધવારના દિવસે ગણેશ પૂજા કર્યા બાદ કિન્નરને થોડુ દાન કરવાથી લાભ થાય છે. દાન કર્યા બાદ કિન્નર પાસેથી થોડા પૈસા આશીર્વાદ રૂપે લઇ લો. ત્યારબાદ આ પૈસાને પૂજાની સાથે મુકી દો અને ત્યાં દીવાબતી કરો. થોડા સમયમાં જ તમારી બધી સમસ્યાઓ દૂર થશે.
આ દિવસે પૂજા કર્યા બાદ ભગવાન ગણેશજીના માથા પર સિંદૂર અર્પણ કરો અને ત્યારબાદ સિંદૂરને પોતાના માથા પર લગાવી લો. જેનાથી તમને દરેક કાર્યોમાં સફળતા મળશે.