વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આદિત્યનો મતલબ સૂર્ય થાય છે આ પ્રકારે જ્યારે કુંડળીમાં સૂર્ય અને બુધ બંન્ને ગ્રહ એક સાથે હાજર હોય તો બુદ્ધાદિત્ય યોગ બનાવે છે. આપણા સૌરમંડળમાં સૂર્યના સૌથી નજીક બુધ ગ્રહ જ હોય છે.
સૂર્ય અને બુધ એક સાથે બનાવે છે બુદ્ધાદિત્ય યોગ
સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે બુધ ગ્રહ
16થી 13 માર્ચની વચ્ચે બનવા જઈ રહ્યો શુભ યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સમય સમય પર ગ્રહોના સંયોગથી ઘણા પ્રકારના શુભ રાજયોગ બને છે જેના કારણે માનવ જીવન પર ખાસ પ્રભાવ પડે છે. એવો જ શુભ યોગ 16થી 31 માર્ચની વચ્ચે બની રહ્યો છે.
આ શુભ યોગ છે બુધાદિત્ય યોગ. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આદિત્યનો મતલબ સૂર્ય સાથે હોય છે. આ પ્રકારે જ્યારે કુંડળીમાં સૂર્ય અને બુધ બન્ને ગ્રહ એક સાથે રહે છે તો બુધાદિત્ય યોગ બને છે.
સૂર્ય અને બુધ સાથે આપે છે ખાસ ફળ
આપણા સૌરમંડળમાં સૂર્યના સૌથી નજીક બુધ ગ્રહ હોય છે. આ કારણે કુંડળીમાં બુધ અને સૂર્ય મોટાભાગે જોડે જ દેખાય છે.
બુધાદિત્ય યોગ કુંડળીના જે ભાવમાં હાજર છે તેને તે મજબૂત બનાવી દે છે. કુંડળીમાં બુધ અને સૂર્યના એક સાથે હોવા પર ખાસ ફળની પ્રાપ્તિ થાય છે.
બુધાદિત્ય યોગ છે ખૂબ જ શુભ
જ્યોતિષ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધાદિત્ય યોગ બને છે તેને ધન, સુખ-સુવિધા, વૈભવ અને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. એવામાં માનવામાં આવે છે કે જો કોઈ શિશુ આ યોગમાં જન્મ લે અને તેનો પરિવાર ગરીબ છે તો આગળ ચાલીને વ્યક્તિ પોતાના સૌભાગ્ય અને કર્મથી પરિવારને ધનવાનની શ્રેણીમાં લાવીને મુકી દે છે. જે લોકોની કુંડળીમાં બુદિત્ય યોગ બને છે તેને બધુ કામ સમય પર પુરૂ કરવું જોઈએ.
16થી 31 માર્ચ સુધી બુધાદિત્ય રાજયોગ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શુભ ફળ આપનાર દેવગુરૂ બુધ પોતાની મીન રાશિમાં છે જેના કારણે હંસ રાજયોગનો યોગ બની રહ્યો છે અને હવે 15 માર્ચથી સૂર્ય પણ મીન રાશિમાં આવી જશે. ત્યાં જ 16 માર્ચે બુધ ગ્રહના મીન રાશિમાં થવાથી બુધાદિત્ય રાજયોગનો શુભ સંયોગ બની રહ્યો છે.
અમુક રાશિના લોકોને થશે ખાસ ફાયદો
આ વખતે બન્યો બુધાદિત્ય રાજયોગ ખૂબ જ પ્રબળ માનવામાં આવી રહ્યો છે કારણ કે જ્યારે કોઈ ગ્રહ જે રાશિમાં ગોચર કરે છે અને તે રાશિનો સ્વામી ગ્રહ પહેલાથી હાજર હોય તો બુધ જ બળવાન રાજયોગ બનાવે છે.
આ કારણે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ બળવાન થઈને અમુક રાશિના જાતકોને ખાસ ફાયદો પહોંચાવાના સંકેત આપી રહ્યા છે. આવો જાણીએ કઈ કઈ રાશીઓ છે જેમને તેનો સૌથી વધારે લાભ થાય છે.
વૃષભ
તમારી રાશિમાં બુધાદિત્ય રાજયોગ એકાદશ ભાવમાં બની રહ્યો છે. એવામાં તમારે એખ સાથે ઘણા ફાયદા થઈ શકે છે. કાર્યોમાં સફળતા મળવાના સારા યોગ છે. નોકરીમાં સારા પ્રસ્તાવ અને તમારી ક્ષમતામાં વધારાના સંકેત જોવા મળી રહ્યા છે.
વ્યાપાર કરનાર જાતકો પર બુધાદિત્ય યોગનો શુભ પ્રભાવ જોવા મળશે. સારો નફો અને વ્યાપારમાં તરક્કીની સંભાવના બની રહી છે. સારા લોકોથી તમારો મેળ વધશે. સરકારી કાર્યોમાં તમારા કામ પુરા થશે. ધન લાભની સારી તક મળશે.
કર્ક
તમારી રાશિમાં બુધાદિત્ય યોગ કુંડળીના નવમાં ભાવમાં બનશે. તમારૂ ભાગ્ય સૌથી પ્રબળ છે કારણ કે બુધ-સૂર્ય અને ગુરૂનું મીન રાશિમાં યોગ કોઈ વરદાનથી કમ નથી.
તમને મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોમાં સફળતા મળશે. કાર્યોમાં અડચણ નહીં આવે અને તમારા કાર્ય પુરા થશે. નોકરીમાં પ્રમોશન અને વેતનમાં વૃદ્ધિના સારા સંકેત છે. તમારા માન સન્માન અને ધનમાં સારી વૃદ્ધિ જોવા મળી શકે છે.
વૃશ્ચિક
તમારી રાશિમાં આ રાજયોગ પાંચમાં ભાવમાં જોવા મળી રહ્યો છે. તમને શુભ સમાચારોની પ્રાપ્તિ થશે. સંતાન સુખ મળશે અને આવકના અતિરિક્ત સ્ત્રોત બનશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પહેલા કરતા વધારે નફો મળશે.
સરકારી ક્ષેત્રોમાં કાર્યરત લોકોને કોઈ સારી ડીલ મળી શકે છે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.