બુધવારે બુધ ગ્રહ એટલે કે 2 સપ્ટેમ્બરે સિંહ અને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. અશ્વિન માસથી પહેલા બુધના આ રાશિ પરિવર્તનને શુભ ગણવામાં આવી રહ્યું છે. આ પછી બુધ 22 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષીઓના અનુસાર બુધના ગોચરથી મેષ, સિંહ, વૃશ્વિક અને ધન રાશિના જાતકોને લાભ થશે.
બુધવારે 2 સપ્ટેમ્બરે બુધનું થશે રાશિ પરિવર્તન
સિંહ અને કન્યા રાશિમાં કરશે પ્રવેશ
સૌથી નાનો ગ્રહ આ 4 રાશિને આપશે લાભ
મેષ
આ રાશિના જાતકોના છઠ્ઠા ભાવમાં બુધ ગ્રહનો ગોચર રહેશે. આ ભાવથી આપણે શત્રુઓ, ઋણ, વિવાદ વગેરે વિષે વિચાર કરીએ છીએ. આ સમય આ રાશિના એ જાતકો માટે શુભ રહેશે. જે નોકરી ધંધા સાથે જોડાયેલા રહે છે. આ સમયે જ્યારે તમે નોકરીમાં પ્રગતિ કરો છો ત્યારે જે લોકો જોબ મેળવવા ઈચ્છે છે તેઓને માટે ગોચર સારો રહેશે.
સિંહ
બુધ દેવ તમારી રાશિની સાથે અન્ય ભાવમાં ગોચર કરશે. આ ભાવ તમારી વાણી, ધન અને પરિવારને લાભ આપશે. બુધના ગોચર કાળના સમયે તમે પરિવારની વચ્ચે વધારે સમય વીતાવશે અને સાથે પોતાના કામ પૂરા કરશે. આ સમયે તમે ઘરના લોકોની સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરવાની સાથે સારી રીતે વાત કરી શકશો. આ રાશિના કેટલાક જાતકોના ઘરમાં કોઈ નવું મહેમાન આવી શકે છે. ખર્ચોને લઈને સતર્ક રહેવાની જરૂર છે.
વૃશ્વિક
આ રાશિના એકાદશ ભાવમાં બુધનો ગોચર હશે. તેનાથી લાભ ભાવ હશે તેનાથી ભાઈ બહેન, ઈચ્છાઓ, મિત્રોને વિશે વિચાર કરી શકાશે. આ ગોચરના સમયે જીવનના અલગ અલગ ભાગથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે છે. આ રાશિના જાતકો નોકરી ધંધા સાથે જોડાયેલી છે. તેમને પોતાના કામની સાથે કાર્યક્ષેત્રમાં લાભ પણ મળી શકે છે.
ધન
આ રાશિના જાતકોના 10મા ભાવમાં બુધનો ગોચર હશે. આ ભાવમાં બુધના ગોચરના તમને ઈચ્છિત પરિણામ મળી શકે છે.આ ભાવ તમારી કરિયરને વિશે વિચારી શકશો. આ રાશિના લોકોને બુધના ગોચર સમયે કાર્યક્ષેત્રમાં શુભ ફળ મળશે. તમારા કામ કરવાની રીત ઉપરી અધિકારીઓને પસંદ આવશે. આ રાશિ કેટલાક નોકરીધંધાના લોકોને પદોન્નતિ મળી શકે છે.