જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને ખૂબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે. બુધ 7 ફેબ્રુઆરીએ ધન રાશિમાંથી નિકળીને મકર રાશિમાં ગોચર કરશે. બુધના ગોચરથી અમુક રાશિના જાતકોને લાભ થવાનો છે તો અમુક જાતકોને ગોચરના આ સમયગાળામાં વધુ સાવધાન રહેવાની જરૂર છે.
તો અમુક જાતકોએ આ સમયગાળામાં વધુ સાવધાન રહેવાની જરૂર
બુધ 7 ફેબ્રુઆરી 2023ના રોજ મકર રાશિમાં કરશે ગોચર
ગ્રહોના રાજકુમાર બુધ 7 ફેબ્રુઆરી 2023ના રોજ મકર રાશિમાં ગોચર કરી રહ્યાં છે. વૈદિક જ્યોતિષ મુજબ, બુધનો ગોચર વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધની ઉચ્ચ રાશિ કન્યા છે અને નીચ રાશિ મીન છે. આમ તો બુધનો ગોચર કોઈના પણ બગડેલા કામ બનાવી શકે છે. પરંતુ ગોચર અમુક રાશિના જાતકો માટે નકારાત્મક પ્રભાવ પણ લઇને આવે છે. આવો જાણીએ બુધના આ ગોચરથી કઈ રાશિઓએ સાવધાન રહેવાની જરૂર છે.
મિથુન
આ સમયે મિથુન રાશિના જાતકોએ આરોગ્યનો ખ્યાલ રાખવો પડશે. પોતાની વાણી પર સંયમ રાખો નહીંતર પરિવારના લોકો સાથે નોંકજોંક થઇ શકે છે. આ સમય દરમ્યાન તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ પર પણ ભરોસો ના કરશો.
કર્ક
આ ગોચર દરમ્યાન તમે પોતાના કાર્યસ્થળ પર દબાણનો અનુભવ કરી શકો છો. તણાવ દૂર કરવા માટે તમને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. અમુક કાર્યોમાં મોડુ થવાના કારણે પરેશાન રહેશો. પરંતુ તમારે મજબૂત અને સતત મહેનત કરવાની જરૂર છે.
સિંહ
કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ સાથે તકરાર થઇ શકે છે. હેલ્થનુ સૌથી વધુ ધ્યાન રાખવુ પડશે. આળસને છોડીને જો સમય પર વ્યાયામ કરવામાં આવે તો મનમાં પ્રસન્નતા રહેશે. આ ગોચર કાળમાં વિદેશ જઇને શોધ કરવાની ઈચ્છા રાખી રહેલા જાતકોને સફળતા મળશે.
મકર
બુધના આ ગોચરથી તમને કામમાં મોડુ થઇ શકે છે. તેથી આ સમયે તમારી વાણીમાં થોડી કડવાશ તમારા માટે પરેશાની ઉભી કરી શકે છે. હાલમાં વૈવાહિક જીવન સુખમય રહેવાની શક્યતા છે. તમે તમારા પરિવાર માટે સારો સમય નિકાળી શકશો.