જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે એટલેકે 2 જુલાઈએ બુધ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી બુધાદિત્ય યોગનુ નિર્માણ થઇ રહ્યું છે, જે અનેક રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થશે.
બુધાદિત્ય યોગ કેટલીક રાશિઓ માટે અત્યંત ફળદાયી નિવડશે
ગ્રહોનુ સ્થાન પરિવર્તન અથવા બીજા કોઈ ગ્રહની સાથે યુતિનો પ્રભાવ બધી 12 રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. બુધના ગોચરથી શુભ બુધાદિત્ય યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. આ યોગ સૂર્ય અને બુધની યુતિથી બની રહ્યો છે. કેટલીક રાશિઓ માટે આ યોગ અત્યંત લાભકારી નિવડવાનો છે.
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ગોચરથી મિથુન રાશિમાં બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ યોગ સિંહ રાશિના જાતકો માટે લાભકારી રહેવાનો છે. આ રાશિના જાતકોની ગોચર કુંડળીમાં બુધાદિત્ય યોગ 11મા સ્થાને બની રહ્યો છે. આ ભાવને આવક અને લાભનુ સ્થાન માનવામાં આવે છે. તેથી ગોચર દરમ્યાન આ રાશિના જાતકોને આવકમાં વધારો થવાની સંભાવના છે. આ દરમ્યાન આવકના નવા સ્ત્રોત પણ બનશે.
કન્યા રાશિ
આ રાશિના દસમા ભાવમાં આ યોગ બની રહ્યો છે. આ ભાવ નોકરી અને જોબનો ભાવ માનવામાં આવે છે. બુધ ગોચર દરમ્યાન માન-સન્માન પ્રાપ્ત થશે. આ સાથે નવી નોકરીની પણ ઑફર આવી શકે છે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. વેપારમાં વધારો થશે, લાભ થશે. બુધ અને સૂર્યનો પ્રભાવ કાર્યશૈલીમાં નિખાર લાવશે. જેનાથી તમારા સીનિયર અને વરિષ્ઠ લોકો પ્રસન્ન થશે અને તેનો સહયોગ પ્રાપ્ત થશે. આ સમયે માણેક રત્ન ધારણ કરવુ લકી સાબિત થઇ શકે છે.
વૃષભ રાશિ
આજથી આ રાશિના જાતકોના સારા દિવસ શરૂ થયા છે. જો તમારી કુંડળીમાં આ યોગ બીજા ભાવમાં બની રહ્યો છે. એવામાં તમને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. આ દરમ્યાન અટકેલુ ધન પાછુ પણ મળી શકે છે. જ્યોતિષ મુજબ કારકિર્દી વાણી સાથે સંબંધિત છે એવા લોકોને સંપૂર્ણ લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.