બુધને સૌથી ઝડપથી ચાલનારો, બુદ્ધિનો સંચાર કરનારો, લેખન, વ્યવહાર અને વાણીનું પ્રતિનિધિત્વ કરનારો ગ્રહ માનવામાં આવે છે. આવનારા 15 દિવસમાં તે 3 રાશિને લાભ આપશે.
નવરાત્રિમાં બુધનો ગોચર
આવનારા 15 દિવસ 3 રાશિઓને માટે હશે લકી
જાણો કઈ રાશિઓને થશે ખાસ લાભ
જે લોકોની રાશિમાં બુધનો ગ્રહ મજબૂત હોય છે તેઓ પ્રખર વક્તા, હાજર જવાબી અને સારા વ્યાપારી હોય છે. પરંતુ જેનો બુધ નબળો હોય છે તેવી વ્યક્તિઓ માનસિક પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે. તો જાણો તમારી રાશિ અને તમને નવરાત્રિમાં થતો બુધનો ગોચર કેવો લાભ આપશે તે પણ.
આજથી શરૂ થઈ રહ્યો છે બુધનો ગોચર
બુધના ગોચરનો સમય ઓછો હોય છે પરંતુ પ્રભાવશાળી હોય છે. 16 એપ્રિલે એટલે કે આજે બુધ મીન રાશિથી નીકળીને રાતે 9 અને 5 મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે 1 મે સુધી રહેશે. આ પછી તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
જાણો બુધના ગોચરનો કઈ રાશિ પર રહેશે કેવો પ્રભાવ
મેષ રાશિમાં બુધનો આ ગોચર થવાના કારણે મિથુન, મીન અને કર્ક રાશિને માટે ખૂબ જ સારો સમય બની રહ્યો છે. તો અન્ય તરફ વૃશ્વિક, મકર અને વૃષભ રાશિને માટે આવનારા 15 દિવસ મુશ્કેલ બની શકે છે. આ 3 રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
દેશ દુનિયા પર અસર
બુધના ગોચરના કારણે દેશ અને દુનિયામાં ઉથલ પાથલ આવી શકે છે. આ રાશિના પ્રભાવથી સહનશીલતાની ખામી જોવા મળી શકે છે. લોકોના સ્વભાવમાં ઉગ્રતા આવે છે. દેશની સીમાઓ પર તેની અસર પડે છે અને સાથે જ સામાન્ય લોકોમાં કડવાશ આવી શકે છે.
હેલ્થ પર કરશે અસર
બુધના આ ગોચરના પ્રભાવથી લોકોની હેલ્થને જોખમ છે. આ સમયે લોકોએ સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાની જરૂર છે. બુધનો સંબંધ ચર્મરોગની સાથે છે. આ માટે ગોચરના સમયે લોકોમાં સ્કીન એલર્જીની સમસ્યા વધે છે. તેનાથી બચવા ચોખ્ખા કપડા પહેરવાની અને ઘરની સફાઈની સલાહ અપાય છે.
પારિવારિક જીવન પર અસર
બુધ બુદ્ધિનો કારક છે અને અગિન તત્વની રાશિમાં ગોચર કરી રહ્યો છે. જેથી લોકોના મન પર અસર થશે. ઘરના સભ્યોમાં વાણીમાં કડવાશ આવશે. આ સિવાય દામ્પત્ય જીવનમાં ઉંચનીચ આવી શકે છે. બુધના પ્રભાવથી ઘરમાં ક્લેશ વધી શકે છે. માટે આવનારા 15 દિવસ વાણી પર સંયમ રાખો તે જરૂરી છે.