નવી દિલ્હીઃ વિરોધીઓ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવને પગલે સરકાર સદનમાં ઘેરાઈ ચૂકી છે. ત્યારે વિરોધીઓને વધુ બળ ન મળે એ માટે સરકાર 14 દિવસ પહેલા જ બજેટ સત્રને સ્થગિત કરવા વિચારી રહી છે. 5 માર્ચથી શરૂ થયેલા સદનને હવે 12 દિવસ થઈ ચૂક્યા છે પરંતુ એક પણ દિવસ એવો નથી જ્યારે સદનમાં શાંતિ પૂર્ણ રીતે કામ થયું હોય.
ત્યારે સરકાર સદનને અનિશ્ચિત કાળ માટે સ્થિગત કરી શકે છે. આમ તો બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલશે જોકે સરકાર બજેટ સત્રના આ બીજા ભાગને લંબાવવા તૈયાર નથી. આસત્રમાં વિપક્ષ ત્રણ વાર અવિશ્વાસનો પ્રસાતવ લાવવા પ્રયાસ કરી ચૂક્યું છે. જો કે હંગામાને પગલે એ શક્ય ન બન્યું.
અત્યાર સુધીમાં સરેરાશ કાઢીએ તો માંત્ર એક કલાક પ્રતિદિન કામ ચાલ્યું છે. આ સત્રમાં જે મુદ્દાઓને લઈને હંગામો થયો એમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપરાંત પંજાબ નેશનલ બેંક કૌભાંડ આધ્રને વિશેષ દરજ્જો આપવાની માંગ કાવેરી જશ વિવાદ મુખ્ય મુદ્દા છે.