સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. મહામહિન રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આજે બજેટનું સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે, આ અગાઉ પીએમ મોદીએ સાંસદોને અપીલ કરી છે.
દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીથી સંસદમાં રજૂ થવા જઈ રહ્યું છે. આ અગાઉ આજે એટલે કે, 31 જાન્યુઆરીએ સંસદનના બજેટ સત્રની શરુઆત થવા જઈ રહી છે. સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત થશે, આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અપીલ કરી છે કે, બજેટ સત્રને ફળદાયી બનાવવાની જરૂર છે.
True that polls affect Sessions & discussions. But I request all MPs that elections will go on but #BudgetSession draws a blueprint for entire year. The more fruitful we make this session, the better opportunity rest of the year becomes to take the country to economic heights: PM pic.twitter.com/nX1XZ5GQs3
બજેટ સત્ર અગાઉ પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. મોદીએ સાંસદોને બજેટ સત્રમાં સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, તમામ સાંસદો, પાર્ટીઓ ઉત્તમ મન સાથે બજેટમાં ચર્ચા કરે. ચૂંટણીની બજેટ પર અસર થવી જોઈએ નહીં. પીએમે કહ્યું કે, આજની વૈશ્વિક સ્થિતીમાં ભારત માટે ઘણા બધાં સારા અવસરો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ, મેડ ઈન ઈન્ડિયા વેક્સિન વિશે દુનિયામાં એક વિશ્વાસ ઉભો કરે છે. પીએમે કહ્યું કે, વારંવાર ચૂંટણીથી સત્ર અને ચર્ચા પ્રભાવિત થાય છે. આ બજેટ સત્ર આખા સત્રનો રોડમેપ રજૂ કરે છે. એટલા માટે આ સત્રને ફળદાયી બનાવશો, સારા હેતુથી ચર્ચા થાય તે જરૂરી છે.
#BudgetSession commences today. I welcome you & all MPs to this session. In today's global situation, there are a lot of opportunities for India.This session instils confidence in the world regarding the country's economic progress, vaccination program, Made in India vaccines: PM pic.twitter.com/BiB4vgTOxH
સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સંસદભવનમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોને સંબોધન આપી શરૂઆત કરશે. સત્ર શરૂ થયા બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં આર્થિક સર્વેક્ષણ 2021-22 રજૂ કરશે. બાદમાં આવતી કાલે તેઓ બજેટ રજૂ કરશે.