લગભગ અડધી સદી પછી બીજી વખત પ્રતિનિધિત્વ કરનારી કોઇ મહિલા બજેટ રજૂ કરવા માટે જઇ રહી છે. 5 જૂલાઇ 2019 એટલે કે આજે વિત્તમંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
49 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી 1970માં પ્રધાનમંત્રી અને વિત્ત મંત્રી ઇન્દિરા ગાંધીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યુ હતુ. આ બજેટ 2 ભાગમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. જાણો ઇન્દિરા ગાંધીના બજેટમાં દેશને શું-શું મળ્યુ હતુ.
- ઇન્દિરા ગાંધીએ બજેટના ભાષણમાં કહ્યુ કે, મને માફ કરો પરંતુ આ વખતે સિગરેટ પીનારાના ખિસ્સા પર ભાર પડશે. તે પછી તેમણે સિગરેટ પર ડ્યૂટી 3% થી વધારીને 22% કરી દીધી. જે પછી 10 સિગરેટવાળા પેકેટની કિંમત 1-2 રૂપિયા સુધી વધી ગઇ. જોકે આ પાછળ તેનું અનુમાન હતુ કે સરકારને વધારે 13.50 કરોડ રૂપિયાની આવક થશે.
- મને જણાવીને આનંદ થાય છે કે ઇન્કમ ટેક્સની સીમા વધારીને 40000 રૂપિયા કરી દેવામાં આવી છે. ઇન્કમ ટેક્સની મદદથી દેશની 3586 કરોડ રૂપિયાની આવક વધીને 3867 કરોડ રૂપિયા થશે.
- ડાયરેક્ટ ટેક્સમાં ઇન્દિરા ગાંધીએ ગિફ્ટ ટેક્સ માટે સંપત્તિની કિંમત અધિકતમ સીમા 10000 રૂપિયાથી ઘટાડીને 5000 રૂપિયા કરી દીધી હતી, એટલે કે 5000 રૂપિયાથી વધારે સંપત્તિને ગિફ્ટ કરવા પર તેને ટેક્સની મર્યાદામાં લાવવામાં આવી.
- ઇન્દિરા ગાંધીએ મોટી જાહેરાત કરતા કહ્યુ કે, જ્યારે કર્મચારી ભવિષ્ય નિધિ( EPF)માં કર્મચારીને 8% અને સંસ્થાની ભાગીદારી સિવાય સરકાર પણ પોતાનો ભાગ આપશે. EFPDમાં પે કોન્ટ્રિબ્યૂશનને સરકારી મદદ મળશે. કર્મચારીની મૃત્યુ પછી ફેમિલી પેન્શન રૂપથી આ રકમ પરિવારને આપવામાં આવશે.
- ઇન્દિરા ગાંધીએ 10 કરોડ રૂપિયા અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની ગઠન માટે જાહેરાત કરી. અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનનુ કામ શહેરોમાંથી રહેલી બસ્તી-ઝૂંપડાની સમસ્યાની દૂર કરવાની હશે. આવાસ અને શહેરી જમીન વિકાસ માટે બજારમાંથી ફંડ ભેગો કરશે. આવાસની અછતને દૂર કરવા માટે ઝડપથી નિર્માણ કાર્ય કરશે.
- ઇન્દિરા ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓ માટે ન્યૂનતમ પેન્શનની રાશિ 40 રૂપિયા પ્રતિ મહિના વધારવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ વધારો તે લોકો માટે પણ હતો જે લોકો પહેલાથી રિટાયર થઇ ગયા હોય, આ સુવિધા ઔદ્યોગિક કર્મચારીઓ માટે પણ હતી.
- ઇન્દિરા ગાંધીએ ગામથી લઇને શહેરો સુધીના ઘરની કિંમતને એક સીમાથી વધારે રાખવા પર વેલ્ટ ટેક્સન મર્યાદામાં લાવવાની જાહેરાત કરી હતી. આ બજેટમાં પહેલા 10000થી નાની જનસંખ્યાવાળા વિસ્તારોના ઘર પર વેલ્થ ટેક્સ ના લાગે. જ્યારે શહેરોમાં 1 લાખ રૂપિયા સુધીના ઘરને આ ટેક્સની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. બજેટ પછી ગામમાં પણ 1 લાખથી વધારે કિંમતવાળા ઘરને વેલ્થ ટેક્સના મર્યાદામાં લાવવામા આવ્યા હતા.
- ઇન્દિરા ગાંધીએ પોતાના બજેટમાં રોકાણની સીમા અને મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો હતો. તેમણે બજેટ પહેલા યૂનિટ ટ્રસ્ટથી 1000 રૂપિયાની આવક સિવાય નાની બચત યોજનાઓ, પોસ્ટ ઑફિસ બચત ખાતામાં જમા વ્યાજ અને ભારતીય કંપનીઓમાં શેરોના લાંભાશ પર 1000 રૂપિયા સુધીની છૂટ વધારીને 3000 રૂપિયા કરી દીધી હતી. આ મર્યાદામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સિક્યોરિટીઝ, રૂરલ ડિબેન્ચર્સ, બેંકિંગ કંપનીઓમાં ડિપોઝિટ્સ અને પોસ્ટ ઑફિસ ડિપોઝિટ એકાઉન્ટ સહિત અન્ય ફાઇનાન્શિયલ એસેટ્સમાં પણ રોકાણ કરી શકાય.
- ઇન્દિરા ગાંધીએ બજેટમાં કેન્દ્ર સરકારના યોજનાના ખર્ચમાં 15% નો વધારો કર્યો હતો. 1969-70માં 1223 કરોડ રૂપિયાના ખર્ચની સરખામણીએ 1970-71માં 1411 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ખેતીનો જોડાયેલી યોજનામાં 39 કરોડનું બજેટ વધારવામાં આવેલુ.