ગુજરાત સરકારનું આગામી 2 જુલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ દિવસે જ નાણાં મંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. ૨૦ બેઠકોમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક અને કર સંબંધી વિધેયકો હાથ ધરાશે.
ચૌદમી વિધાનસભાનું આગામી અંદાજપત્ર સત્ર તા. ૦૨ જૂલાઇ ૨૦૧૯થી મળશે. ૨૦ બેઠકોમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક અને કર સંબંધિ વિધેયકો હાથ ધરાશે ચૌદમી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર આગામી તા. ૦૨/૦૭/૨૦૧૯ને મંગળવારથી મળશે. સત્રના પ્રથમ દિવસે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. ગત સત્રમાં એપ્રિલ, મે, જૂન અને જૂલાઇ એમ ચાર મહિના માટે લેખાનુદાન–વોટ ઓન એકાઉન્ટ લેવામાં આવ્યું હતું.
આ સત્રમાં સરકારી વિધેયકો, વિનીયોગ વિધેયક અને કર સંબંધિ વિધેયકો હાથ ધરવામાં આવશે. સત્ર દરમ્યાન કુલ ૨૦ બેઠકો મળશે અને તા. ૨૫/૦૭/૨૦૧૯ના રોજ સત્ર સમાપ્ત થશે. સત્ર દરમ્યાન બિન સરકારી કામકાજ ત્રણ દિવસ ચાલશે, અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા ચાર દિવસ ચાલશે, વિભાગવાર માંગણીઓ ઉપરની ચર્ચા બાર દિવસ ચાલશે અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.