નાણાપ્રધાન નિર્મલા સીતારામણે બજેટમાં જાહેર ક્ષેત્રની બેન્કો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નાણાપ્રધાને જાહેર ક્ષેત્રની બેન્કો માટે બજેટમાં રુ 20,000 કરોડની ફાળવણી કરી છે. બેન્કોને બેડ લોન્સ (ડૂબેલી લોન)માંથી ઉગારવા માટે એસેટ રિકન્ટ્રક્શન કંપની એન્ડ એસેટ મેનેજમેન્ટ કંપની રચવાની પણ જાહેરાત કરી છે.
રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી માટે 1500 કરોડની ફાળવણીની જાહેરાત
વીમા સેક્ટરમાં ઐતિહાસિક નિર્ણય- એફડીઆઈ 49 ટકા વધારીને 74 ટકા કરાઈ
બજેટમાં વીમા સેક્ટરની એફડીઆઈને 49 ટકા વધારીને 74 ટકા કરવામાં આવી છે. તે ઉપરાંત બજેટમાં સોલર એનર્જી કોઓપરેશન માટે રુ.1,000 કરોડ તથા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી માટે 1500 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.
સરકારની વિનિવેશ આવક ટાર્ગેટ રુ 1.75 લાખ કરોડ
નાણાપ્રધાને કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોટ કરવા માટે અલગ વહિવટીતંત્રની રચના કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-21 માટે સરકારની વિનિવેશ આવક ટાર્ગેટ રુ 1.75 લાખ કરોડ છે.
2022 માં એલઆઈસીમાં આઈપીઓ લાવવાની સરકારની દરખાસ્ત
2022 માં એલઆઈસીમાં આઈપીઓ લાવવાની સરકારની દરખાસ્ત છે. નાણાપ્રધાને કહ્યું કે જાહેર ક્ષેત્રની 2 બેન્ક અને જાહેર ક્ષેત્રની એક વીમા કંપનીનું વિનિવેશન કરવાની સરકારની દરખાસ્ત છે. સરકારે તમામ નોન સ્ટ્રેટેજિક અને સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં વિનિવેશ માટેની નીતિને મંજૂરી આપી છે.