બજેટ સત્ર પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે નાગરિકત્વ કાયદાને મોદી સરકારની મોટી સિદ્ધિ ગણાવી અને કહ્યું કે મહાત્મા ગાંધીના સપના આ રીતે પૂરા થયા છે. રાષ્ટ્રપતિએ કહ્યું, 'માનનીય સભ્યો, ભારત હંમેશાં બધા સંપ્રદાયની વિચારધારામાં વિશ્વાસ કરતું આવ્યું છે. પરંતુ ભારતના ભાગલા વખતે ભારતીયો અને તેમના વિશ્વાસ પર હુમલો થયો. ભાગલા પછી સર્જાયેલા વાતાવરણમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાકિસ્તાનના હિન્દુઓ અને શીખ જેઓ ત્યાં રહેવા નથી માંગતા તેઓ ભારત આવી શકે છે.
રાષ્ટ્રપતિએ નાગરિકતા કાયદો પાસ થવા પર બંને સદનને શુભેચ્છા પાઠવી
આ દરમિયાન કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ સાંસદોએ હંગામો કર્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે આ વાત કહી તે જ સમયે ભાજપના સાંસદોએ ટેબલ થપથપાવાનું શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિયોમાં ટેબલ થપથપાવતાં જોવા મળ્યા હતા. ઘણા લાંબા સમય સુધી NDAના સાથીઓએ ટેબલ થપથપાવીને રાષ્ટ્રપતિની વાતને સમર્થન આપ્યું. આ લગભગ 15-20 સેકંડ સુધી ચાલતું રહ્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ ફરી પોતાનું અભિભાષણ શરૂ કર્યું. તાળીઓ વાગતી રહી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેએ વધુમાં કહ્યું કે, 'આ લોકોને સામાન્ય જીવન આપવું એ ભારત સરકારની ફરજ છે. પૂજ્ય બાપુના આ વિચારને સમર્થન આપતા ઘણા રાષ્ટ્રીય નેતાઓ અને રાજકીય પક્ષોએ સમયાંતરે તેને આગળ ધપાવ્યું છે. આપણા રાષ્ટ્ર નિર્માતાઓની આ ઇચ્છાનું સન્માન કરવાની જવાબદારી આપણી છે. હું ખુશ છું કે સંસદના બંને ગૃહોએ નાગરિકત્વ કાયદો બનાવીને મહાન પુરુષોની ઇચ્છાને સન્માનિત કર્યા.
એક વાર ફરી સેન્ટ્રલ ભવનમાં સાંસદોએ ટેબલ થપથપાવાનું શરૂ કર્યું. અંદાજે 40 થી 50 સેકેન્ડ સુધી માત્ર ટેબલ થપથપાવાનો અવાજ આવતો રહ્યો. ત્યારબાદ ફરી રાષ્ટ્રપતિએ એકવાર ફરી બોલવાનું શરૂ કરી દીધું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું વિશેષ કરીને એવા સમયમાં... પરંતુ ટેબલ થપથપાવનો અવાજ આવતો રહ્યો. અંદાજે 10 થી 15 સેકેન્ડ બાદ રાષ્ટ્રપતિએ ફરી બોલવાનું શરૂ કરી દીધું.
રાષ્ટ્રપતિએ અભિભાષણ શરૂ કરતાં કહ્યું કે એવા સમયમાં જ્યારે દેશમાં મહાત્મા ગાંધીની જયંતીનું પર્વ મનાવામાં આવી રહ્યું છે. આ વચ્ચે પાછળથી કોંગ્રેસ સહિત વિપક્ષી દળના નેતાએ વિરોધ કરવાનો શરૂ કરી દીધો. તેઓ નાગરિકતા કાયદાની વિરુદ્ધ નારેબાજી લગાવી રહ્યાં હતા.
પરંતુ રાષ્ટ્રપતિ કોવિંદે પોતાનું અભિભાષણ રોક્યું નહોતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે દેશમાં મહાત્મા ગાંધી જયંતિનું પર્વ મનાવામાં આવી રહ્યું છે તેવા સમયે સાંસદો દ્વારા તેને પાસ કરાવાનું ખાસ છે. હું સંસદના બંને સદનોને અને સાંસદોને અભિનંદન આપુ છું. આ દરમિયાન વિપક્ષી દળોના સાંસદો સતત હંગામો કરતા જોવા મળ્યાં.