કેન્દ્ર સરકારે હવે બજેટ બનાવવાને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી આગામી સોમવારથી નાણાં મંત્રાલયમાં ક્વૈરનટાઈન લાગુ થઈ જશે. આગામી પાંચમી જુલાઈએ કેન્દ્ર સરકાર પોતાનું નવું બજેટ રજૂ કરશે. જે અંતર્ગત નાણાં મંત્રાલયમાં બજેટ બનાવવા માટે તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે.
નાણાં મંત્રી તરીકે નિર્મલા સીતારમન પોતાનું પ્રથમ વખત બજેટ રજૂ કરશે. નોર્થ બ્લોકમાં બજેટ અંગેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી નાણાં મંત્રાલયમાં ક્વૈરનટાઈન લાગુ કરી દેવામાં આવ્યો છે. બજેટ પ્રક્રિયાને ગુપ્ત રાખવા માટે ક્વૈરનટાઈન લાગુ કરી દેવામાં આવ્યો છે. નોર્થ બ્લોકમાં નાણાં મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાખવામાં આવ્યા છે.
જો કે આ અધિકારીઓ બજેટ રજૂ થાય નહીં ત્યાં સુધી બહારના લોકોનો સંપર્ક કરી શકશે નહીં. પાંચમી જુલાઇ સુધી અધિકારીઓ અને કર્મચારીઓ કોઈને મળી પણ નહીં શકે. આ ઉપરાંત મુલાકાતીઓ અને મીડિયાનો પ્રવેશને પણ નાણાં મંત્રાલયમાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
નોર્થ બ્લોકમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોથી નજર રાખવામાં આવશે. મંત્રાલયમાં કમ્પ્યુટરમાં ઈમેલ સેવા પણ બ્લોક કરી દેવામાં આવી છે. જેથી કોઈ વિગત બહાર લીક થાય નહીં. આ ઉપરાંત ક્વૈરનટાઈન દમરિયાન મંત્રાલયમાં સુરક્ષાકર્મીઓ પણ તૈનાત રહેશે. આ સિવાય આઈ.બી. બજેટ પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ પર નજર રાખશે.